National

લખનૌની રામ મનોહર લોહિયા યુનિવર્સિટીમાં IPS અધિકારીની પુત્રીનું શંકાસ્પદ મોત

લખનૌની ડો.રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીમાં એક યુવતીની લાશ મળી આવી છે. યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. યુવતીના પિતા IPS ઓફિસર છે. તેની ઓળખ અનિકા રસ્તોગી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ યુવતી તેના હોસ્ટેલના રૂમમાં બંધ હતી. દરવાજો તોડ્યા બાદ તેની લાશ મળી હતી.

મળતી માહિતી મુજબ રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીમાં હોસ્ટેલના રૂમમાં બંધ યુવતીએ લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો ન હતો. આવી સ્થિતિમાં રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. યુવતી રૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

છોકરીના મોતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોલેજ પ્રશાસન કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. IPS સંતોષ રસ્તોગીની પુત્રી અનિકા રસ્તોગીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અનિકા લોહિયા નેશનલ લો યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી.

Most Popular

To Top