SURAT

વરાછામાં બે યુવકોનું બેભાન થયા બાદ મોત નિપજ્યું

સુરત: (Surat) વરાછામાં બે યુવકોનું બેભાન (Unconscious) થયા બાદ મોત નિપજ્યું હતું. બંનેને હાર્ટ એટેક આવ્યા હોવાની સંભાવના ડોક્ટરે (Doctor) વ્યક્ત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછામાં પરમહંસ સોસાયટીમાં રહેતા મુનાભાઈ રામદુલારે ગૌતમ( 35 વર્ષ) ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતો હતો. પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. શુક્રવારે સાંજે 19.30 વાગ્યાના સુમારે મુનાભાઈ ઘરમાં બેભાન થઈ ગયા હતા.તેમને પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. મુનાભાઈનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની સંભાવના ડોક્ટરે વ્યકત કરી હતી.

તેવીજ રીતે મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારના વતની પ્રેમજી ભીખાભાઈ વરીયા( 39 વર્ષ) હાલમાં વરાછામાં ભરનગર પાસે પરીમલ સોસાયટીમાં રહેતા હતા. તેઓ એમ્બ્રોયડરીના ખાતામાં કામ કરીને પરિવારજનોનું ભરણ-પોષણ કરતા હતા. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરો અને એક દીકરી છે. આજ રોજ સવારે 7 વાગ્યાના સુમારે તેઓ ઘરે બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પ્રમજીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની સંભાવના ડોક્ટરે વ્યકત કરી હતી.

Most Popular

To Top