National

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને આંચકો, કોર્ટે એડિશનલ સર્વેની માંગ નકારી

વારાણસી જ્ઞાનવાપી સાથે જોડાયેલા મામલામાં હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. વારાણસીની કોર્ટમાં ચાલી રહેલા 1991ના કેસમાં હિન્દુ પક્ષની સર્વે અરજીને ફગાવી દેવામાં આવી છે. હિન્દુ પક્ષના વકીલનું કહેવું છે કે તેઓ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરશે.

જ્ઞાનવાપી કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં હિંદુ પક્ષને કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. સમગ્ર સંકુલના ASI સર્વેની માંગણી કરતી હિન્દુ પક્ષે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. હવે હિન્દુ પક્ષ વારાણસી જિલ્લા કોર્ટના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષે માંગ કરી હતી કે શૌચાલય સિવાય સમગ્ર સંકુલનો સર્વે કરવામાં આવે પરંતુ કોર્ટે તેમની વાત સાંભળી ન હતી. હિન્દુ પક્ષ કહે છે કે મધ્ય ગુંબજની નીચે શિવલિંગ છે.

હિંદુ પક્ષ કહે છે કે ‘જ્યોર્તિલિંગ’નું મૂળ સ્થાન જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મસ્જિદના ગુંબજની નીચે હતું. હિંદુ પક્ષ અનુસાર ભૌગોલિક રીતે જ્ઞાનવાપી કુંડમાં ભેગું થતું પાણી સતત વહેતું હતું. આ તીર્થને ‘જ્ઞાનોદ્ય તીર્થ’ પણ માનવામાં આવે છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે જ્ઞાનોદય તીર્થમાંથી મળેલા ‘શિવલિંગ’ની પણ તપાસ કરવી જોઈએ કે તે શિવલિંગ છે કે ફુવારો.

હિન્દુ પક્ષની દલીલ
હિંદુ પક્ષના એડવોકેટ મદન મોહન યાદવના જણાવ્યા અનુસાર વારાણસીમાં સારનાથ અને રાજઘાટનું ખોદકામ ASI દ્વારા કરવામાં આવ્યું છે અને મોહેંજોદરો અને હડપ્પામાં પણ ASI દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે. તે જ આધારે જ્ઞાનવાપીનું 4×4 ફૂટનું ખોદકામ પણ કરવું જોઈએ. અને જ્યોતિર્લિંગનું સ્થાન જ્ઞાનવાપીના મધ્ય ગુંબજની નીચે સર્વે કરવો જોઈએ.

મુસ્લિમ પક્ષની દલીલ
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે જ્ઞાનવાપી સંકુલનો એએસઆઈ દ્વારા અગાઉ એક વખત સર્વે થઈ ચૂક્યો છે ત્યારે બીજીવાર સર્વે કરવાનું કોઈ કારણ નથી. મુસ્લિમ પક્ષના વકીલો એમ પણ કહે છે કે સર્વે માટે મસ્જિદ પરિસરમાં ખાડો ખોદવો એ કોઈપણ રીતે વ્યવહારુ નથી અને તેનાથી મસ્જિદને નુકસાન થઈ શકે છે.

Most Popular

To Top