Gujarat Main

રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ, 27 મૃતકોની ઓળખ કરાયાની સત્તાવાર જાહેરાત

રાજકોટ: ગયા શનિવારે તા. 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં 28 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 27 મૃતકોની ડીએનએના આધારે ઓળખ થઈ છે. આ 27 મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપાયા છે.

આ સાથે જ આ ઘટનામાં આજે ગુરુવારથી ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જવાબદાર અધિકારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ થયો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરવામાં આવશે.

દરમિયાન આજે રાજ્યના રાહત કમિશનરે આ કેસમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની સત્તાવાર જાહેરાત કરી હીત. રાહત કમિશનરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા નીચે મુજબના પગલા તાત્કાલિક લેવાયેલ છે.

(૧) જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી.

(૨) બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા.

(3) ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને 27 મૃતદેહોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલા અને તેના પરિવારજનોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા 27 લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને 27 મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી કરાઈ છે.

(૪) અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ) માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહ્યા છે કે મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવી છે.

(૫) હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતા આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ 211 હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

(૬) તમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયા ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂંક કરવામાં આવી અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ.રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

(૭) એફ.એસ.એલ. ટીમ દ્વારા મૃતદેહોના ડી એન એ પરિવારજનોના ડી એન એ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી.

(૮) હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને 27 મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.

(૯) આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિ ની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦, ડીસીબી પો.સ્ટ. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫, રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) નો સંપર્ક કરવા આથી જાહેર જનતાને અનરોધ કરવામા આવ્યો છે.

મૃતકોની યાદી

  • ૧. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪)
  • ૨. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨)
  • ૩. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧)
  • ૪. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.૩૦)
  • ૫. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯)
  • ૬. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦)
  • ૭. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬)
  • ૮. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪)
  • ૯. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨૨)
  • ૧૦. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯)
  • ૧૧. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫)
  • ૧૨. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)
  • ૧૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦)
  • ૧૪. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)
  • ૧૫. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫)
  • ૧૬. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦)
  • ૧૭. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫)
  • ૧૮. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮)
  • ૧૯. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.૨૪)
  • ૨૦. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.૨૨)
  • ૨૧. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.૨૮)
  • ૨૨. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪)
  • ૨૩. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.૨૫)
  • ૨૪. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.૩૦)
  • ૨૫. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.૪૫)
  • ૨૬. મોનુ કેશવ ગૌંડ (ઉ.૨૧)
  • ૨૭. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.૨૮)

Most Popular

To Top