ચોંકાવનારો કિસ્સો: 4 વર્ષની બાળકીએ કર્યો પુનર્જન્મનો દાવો, કહ્યું- હું ઉષા છું, 9 વર્ષ પહેલા દાઝીને મૃત્યુ થયું હતું

રાજસમંદ: (Rajasmand) રાજસ્થાનના (Rajasthan) રાજસમંદમાં 4 વર્ષની બાળકીએ તેના પુનર્જન્મ (Reincarnation) અંગે દાવો કર્યો છે. બાળકીની વાત સાંભળીને માતા-પિતાથી લઈને સગાં-સંબંધીઓ અને ગામલોકો બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણે પોતાના ભૂતકાળના જીવન વિશે જે વાતો અને સંબંધો જણાવ્યા તે દરેક બાબત સાચી નીકળી છે. તેના પહેલાના જીવનમાં તેનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, છોકરીએ આ બધું કહ્યું. બાળકી હાલ નાથદ્વારને અડીને આવેલા ગામ પરાવલમાં રહે છે. જ્યારે તેના પૂનર્જન્મનું ગામ 30 કિલોમીટર દૂર પિપલાંત્રીમાં છે જ્યાં આજે પણ તેના માતા-પિતા અને ભાઈ સહિત સમગ્ર પરિવાર રહે છે. પરાવલના તેના હાલના પરિવારમાં તેના પિતા રતન સિંહ ચુંડાવતને 5 દીકરીઓ (Daughters) છે. તે હોટલમાં કામ કરે છે. તેમની સૌથી નાની પુત્રી 4 વર્ષની છે જેનું નામ કિંજલ છે. આ કિંજલે જ પોતાનો ફરી જન્મ થયો હોવાની વાત કરી છે.

આ વાતની શરૂઆત પાછલા વર્ષથી થાય છે. છેલ્લા એક વર્ષથી કિંજલ વારંવાર તેના ભાઈને મળવાની વાત કરતી હતી. કિંજલના દાદા રામસિંહ ચુંડાવતે કહ્યું કે પહેલા તો તેણે તેના પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ બે મહિના પહેલા જ્યારે કિંજલની માતા દુર્ગાએ કિંજલને તેના પિતાને બોલાવવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે પાપા પીપલાંત્રી ગામમાં છે. પીપલાંત્રી એ જ ગામ છે જ્યાં ઉષા નામની મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. કિંજલ કહે છે કે તે જ ઉષા છે.

ફોનમાં જ્યારે માતા અને ઉષાનો ફોટો દેખાડવામાં આવ્યો ત્યારે તે રડવા લાગી
આ અંગેની તપાસ કરતા ઉષાના ગામ પીપલાંત્રીના લોકોનો દાવો છે કે નવ વર્ષ પહેલા આગમાં દાઝવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. મા દુર્ગાની વારંવાર પૂછપરછ કરવા પર કિંજલે જણાવ્યું કે તેના માતા-પિતા અને ભાઈ સહિત સમગ્ર પરિવાર પીપલાંત્રીમાં રહે છે. તે 9 વર્ષ પહેલા બળી ગઈ હતી. કિંજલે જણાવ્યું કે તેના પરિવારમાં બે ભાઈ-બહેન છે. પપ્પા ટ્રેક્ટર ચલાવે છે. તેનું પીયર પીપળાંત્રીમાં અને સાસરિયાઓ ઓદાનમાં રહે છે. જ્યારે કિંજલની વાત પીપલાંત્રીના પંકજ સુધી પહોંચી ત્યારે તે પરાવલ આવ્યો. પંકજ ઉષાનો ભાઈ છે. પંકજના કહેવા પ્રમાણે જ્યારે કિંજલે તેને જોયો ત્યારે કિંજલની ખુશીનો પાર ન રહ્યો. ફોનમાં જ્યારે માતા અને ઉષાનો ફોટો દેખાડવામાં આવ્યો ત્યારે તે રડવા લાગી. 14 જાન્યુઆરીએ કિંજલ તેના માતા અને દાદા સહિત પરિવાર સાથે પિપલાંત્રી પહોંચી હતી.

કિંજલ પણ ઉષાના ગામ ગઈ ત્યારે બધાને લાગ્યું કે તે ઉષા જ છે
ઉષાની માતા ગીતા પાલીવાલે જણાવ્યું કે જ્યારે કિંજલ અમારા ગામમાં આવી ત્યારે એવું લાગતું હતું કે જાણે તે વર્ષોથી અહીં રહે છે. તેણે અગાઉ જાણતી સ્ત્રીઓ સાથે વાત કરી. ઉષાને ગમતા ફૂલો વિશે પણ કિંજલે પૂછ્યું કે હવે એ ફૂલ ક્યાં છે? ત્યારે અમે કહ્યું કે તેમને 7-8 વર્ષ પહેલા હટાવવામાં આવ્યા હતા. ઉષાને બે બાળકો પણ છે. કિંજલે ઉષાની બંને નાની દીકરીઓ અને દીકરાઓ સાથે પણ વાત કરી અને ખૂબ સ્નેહ પણ કર્યો. ગીતાએ જણાવ્યું કે તેમની પુત્રી ઉષા 2013માં ઘરમાં કામ કરતી વખતે ગેસના ચૂલાથી દાઝી ગઈ હતી. આ ઘટના બાદ કિંજલ અને ઉષાના પરિવાર વચ્ચે અનોખો સંબંધ બંધાયો છે. કિંજલ પરિવારના પ્રકાશ અને હિના સાથે રોજ ફોન પર વાત કરે છે. ઉષાની માતા કહે છે, ‘અમને પણ એવું લાગે છે કે અમે ઉષા સાથે જ વાત કરી રહ્યા છીએ. ઉષા પણ બાળપણમાં આવી વાતો કરતી હતી.

Most Popular

To Top