World

‘કરુણા અને નમ્રતાના પ્રતીક તરીકે યાદ રાખવામાં આવશે’, PM મોદીએ પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી

ઇતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોપ પોપ ફ્રાન્સિસનું આજે સોમવારે અવસાન થયું. તેઓ 88 વર્ષના હતા. વેટિકન કેમરલેનગો કેવિન ફેરેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે સવારે 7:35 વાગ્યે રોમના બિશપ ફ્રાન્સિસ પિતાના ઘરે પાછા ફર્યા. તેમનું આખું જીવન ભગવાન અને તેમના ચર્ચ કાર્ડિનલની સેવામાં સમર્પિત હતું.

ફ્રાન્સિસ ફેંફસાના લાંબા ગાળાના રોગથી પીડાતા હતા અને યુવાનીમાં તેમના એક ફેંફસાનો ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેમને જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમને ડબલ ન્યુમોનિયા હોવાનું નિદાન થયું. તેમના નિધન બાદ સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વેટિકનમાં નવ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ‘X’ પર લખ્યું પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે.

નાનપણથી જ તેમણે ભગવાન ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા. તેમણે ગરીબો અને વંચિતોની ખંતપૂર્વક સેવા કરી. તેમણે દુઃખી લોકોમાં આશાની ભાવના લાવી. મને તેમની સાથેની મારી મુલાકાતો ખૂબ જ યાદ છે અને સમાવિષ્ટ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી હું ખૂબ પ્રેરિત થયો છું. ભારતના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ રહેશે. તેમના આત્માને ભગવાનના ખોળામાં શાંતિ મળે.

પોપ ફ્રાન્સિસ પોપના પદ પર પહોંચનારા પ્રથમ લેટિન અમેરિકન પાદરી હતા
પોપ ફ્રાન્સિસ પોપના પદ પર પહોંચનારા પ્રથમ લેટિન અમેરિકન પાદરી હતા. તેમને 2013 માં પોપ તરીકે પવિત્ર કરવામાં આવ્યા હતા. પોપ તરીકેના તેમના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન પોપ ફ્રાન્સિસે વેટિકન સિટીમાં ઘણા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કર્યા.

પોપ ફ્રાન્સિસ કોણ હતા?
પોપ ફ્રાન્સિસનો જન્મ 17 ડિસેમ્બર 1936ના રોજ આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં થયો હતો. તેનું નામ જોર્જ મારિયો બર્ગોલિયો હતું. પોપ ફ્રાન્સિસ પોપનો તાજ પહેરાવનાર પ્રથમ જેસુઈટ હતા. ધર્મના માર્ગ પર આવતા પહેલા, જોર્જ મારિયો બર્ગોલિયોએ રાસાયણિક ટેકનિશિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લાંબા સમય સુધી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં કામ કર્યું હતું.

આ સમય દરમિયાન તેમનો ધર્મ પ્રત્યેનો ઝુકાવ વધ્યો અને તેઓ ચર્ચમાં જોડાયા. જ્યારે પોપ 21 વર્ષના હતા, ત્યારે તેમને ન્યુમોનિયા થયો હતો, જેના કારણે તેમના ફેફસાનો એક ભાગ દૂર કરવો પડ્યો હતો. 1958માં તેઓ ખ્રિસ્તી પરંપરા જેસુઈટ્સમાં જોડાયા અને ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેઓ 1969માં પાદરી બન્યા હતા.

Most Popular

To Top