Vadodara

ફતેપુરાથી વડોદરા મુસાફરો ભરી જતી બસમાં ગરાડુ નજીક આગ

દાહોદ :  ઝાલોદ તાલુકાના  ગરાડુ નજીક એસટી બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં બેસેલા મુસાફરો જીવ બચાવી બસમાંથી બહાર નીકળી ગયા હતા. ફતેપુરાથી વહેલી સવારે વડોદરા તરફ જતી એસટી બસ ઝાલોદ પહોંચે તે પહેલાં જ બસમાં એકાએક આગ ફાટી નીકળતા બસમાં બેસેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસના ચાલક તેમજ મુસાફરોએ સમયસૂચકતા વાપરી બસમાંથી બહાર આવી જતા કોઈ જાનહાનિ થઇ ન હતી.  ઝાલોદ ફાયર ફાઈટરને કરતા ઑટીમે ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવા પ્રયાસો હાથ ધર્યા હતા.આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.  આગના બનાવના પગલે ફતેપુરા થી ઝાલોદ તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.

Most Popular

To Top