Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417
World

પાકિસ્તાને કરાચી અને લાહોર એરસ્પેસને અસ્થાયી રૂપે બંધ કર્યું

ભારતીય કાર્યવાહીનો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે. પાકિસ્તાને કરાચી અને લાહોર એરસ્પેસને અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ પગલું ભર્યું છે.

સુરક્ષા કારણોસર પાકિસ્તાને મે મહિના દરમિયાન દરરોજ મર્યાદિત સમય માટે કરાચી અને લાહોરના કેટલાક ભાગો પરના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન અને ઇસ્લામાબાદ વચ્ચે વધતા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ જણાવ્યું હતું કે બંધ થવાથી વાણિજ્યિક ફ્લાઇટ કામગીરીમાં કોઈ ખાસ વિક્ષેપ નહીં પડે કારણ કે પ્રતિબંધિત કલાકો દરમિયાન વિમાનને વૈકલ્પિક ફ્લાઇટ રૂટ દ્વારા ડાયવર્ટ કરવામાં આવશે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ઇસ્લામાબાદ વચ્ચે વધી રહેલા તણાવ અને નવી દિલ્હી દ્વારા બદલો લેવાની આશંકા વચ્ચે ઉડ્ડયન અધિકારીઓ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ એક સત્તાવાર સૂચના જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 મે થી 31 મે સુધી, કરાચી અને લાહોર ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનના કેટલાક ભાગો સ્થાનિક સમય મુજબ સવારે 4:00 થી સાંજે 8:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ભારતે ગઈકાલે ‘NOTAM’ જારી કર્યું હતું
એક દિવસ પહેલા ભારતે બુધવારે એક મોટું પગલું ભર્યું અને NOTAM (એરમેનને સૂચના) જારી કરી. NOTAM હેઠળ ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી તમામ પાકિસ્તાની મુસાફરો અને લશ્કરી વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. નોટિસ ટુ એર મિશન સિસ્ટમ એક પ્રકારની વાતચીત પ્રણાલી છે, જેની મદદથી ફ્લાઇટમાં હાજર કેબિન ક્રૂને મહત્વપૂર્ણ માહિતી મોકલવામાં આવે છે. આ એક અત્યંત ગુપ્ત માહિતી પ્રણાલી છે, જેને હેક કરવી અત્યંત મુશ્કેલ છે.

Most Popular

To Top