અગાઉના વર્ષોમાં વિશાળ ડોમમાં આયોજન થતું હતું પરંતુ આ વખતે ઓડિટોરિયમ નાનું પડતાં વિદ્યાર્થીઓએ બહાર આંટા ફેરા માર્યા પ્રતિનિધિ ગોધરા તા.20પંચમહાલ જિલ્લાના...
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત આજે શનિવાર 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટમાં ભારતીય...
બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં એક હિંદુ યુવકની ક્રૂર હત્યાની ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે. સનાતન હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા કેસમાં...
મુખ્ય દંડક બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાએ સ્ટોલની મુલાકાત લઈ ખરીદી કરી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા પ્રથમ દિનથી જ ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ : મહિલા ઉદ્યમીઓમાં...
શહેરનાં માન દરવાજા ખાતે આવેલા ખ્વાજા નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરિયા પુરની સ્થિતિ વચ્ચે સેંકડો પરિવારો નર્કાગાર સ્થિતિમાં વસવાટ કરવા માટે મજબુર...
હાલોલ:;પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે આવેલી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું...
ગુજરાત મિત્ર ન્યૂઝ– પાવીજેતપુર સમગ્ર આદિવાસી વિસ્તારમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગામસાઈ ઈન્દની ઉજવણી ચાલી રહી છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર...
કર્મચારીઓએ કામગીરી પડતી મૂકી પરત ફરવું પડ્યું“અમે મધ્યમ વર્ગના છીએ, લૂંટાવા નથી માંગતા” – મહિલાઓનો તીખો આક્રોશ(પ્રતિનિધિ) વડોદરા, તા.20વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને...
આજે શનિવારે વહેલી સવારે આસામના હોજાઈ જિલ્લામાં એક ભયાનક ઘટના બની. સૈરંગ-નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ ટ્રેન સાથે હાથીઓના ટોળાની ટક્કર થઈ હતી....
હાલોલમાં સનાતન ધર્મ જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ ધર્મસભાદ્વારકા શારદા પીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના ઉપદેશોથી ભક્તોમાં ધાર્મિક ઉલ્લાસહાલોલ | હાલોલ...
શહેરના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે શનિવાર તા. 20 ડિસેમ્બરનો દિવસ દિવાળી સમાન સાબિત થયો છે. ચાર દિવસના વનવાસ...
પાકિસ્તાનની રાજનીતિમાં વધુ એક મોટો ધક્કો લાગ્યો છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની ખાસ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને...
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટી પ્રગતિ, અવસાન પામેલા અને સ્થળાંતરિત મતદારોની સચોટ ઓળખ કવાંટ: છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણ અને સુધારણા પ્રક્રિયામાં...
(પ્રતિનિધિ) ભરૂચ, તા.20ભરૂચ જિલ્લામાં શનિવારે મળસ્કે ફરી એકવાર ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ક્ષણભર માટે ભય ફેલાયો હતો. વહેલી સવારે અંદાજે 4.56 વાગ્યાની...
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં આજે 20 ડિસેમ્બર શનિવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતાં જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે....
નડિયાદ તરફ જઈ રહેલા ગેરકાયદેસર લાકડાના જથ્થાને કાકારી રોડ પાસેથી વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો પ્રતિનિધિ ગોધરા તા.20 પંચમહાલ જિલ્લામાં વન સંપત્તિની...
એડમિશનમાં 14% ઉછાળો; ત્રણ વર્ષમાં 3252 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને કહ્યું ‘બાય-બાય’(પ્રતિનિધિ) વડોદરાવડોદરા શહેરના શિક્ષણ ક્ષેત્રે એક મોટું અને નોંધપાત્ર પરિવર્તન સામે આવ્યું...
ફાયર-ગેસ વિભાગની ડોર ટુ ડોર તપાસ છતાં રહસ્ય યથાવત — કંપનીઓ પર કેમિકલ ગેસ છોડવાના ગંભીર આક્ષેપ(પ્રતિનિધિ) વડોદરા, તા.20વડોદરા શહેરના છાણી વિસ્તારમાં...
મલયાલમ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને લેખક શ્રીનિવાસનનું આજે 20 ડિસેમ્બરે 69 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી...
ભરૂચ જિલ્લામાં આજે 20 ડિસેમ્બરની વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના જંબુસર તાલુકા નજીક સવારે 4:56 વાગ્યે ભૂકંપ નોંધાયો. જેની...
ગયા વર્ષના વિદ્યાર્થી આંદોલનમાં સામેલ બાંગલા દેશના વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ગુરુવારે રાજધાની ઢાકાના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી...
ભારતદેશની વસ્તી અપાર છે અને આજકાલ 365 દિવસ પ્રજા મુસાફરી કરતી જ હોય છે. સામાન્ય કક્ષાની બોગીમાં ભીડ અનહદ હોવાથી લાંબા અંતરની...
આસામના હોજાઈ જિલ્લામાં આજે વહેલી સવારે એક ગંભીર રેલ અકસ્માત સર્જાયો હતો. સૈરંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાતા એન્જિન...
આજકાલ લોકો બહોળા પ્રમાણમાં એસ.ટી. બસની મુસાફરી કરી રહ્યાં છે, પરંતુ મુસીબત એ થાય છે કે એસ.ટી.ના ભાડા સુસંગત નથી અને એમાં...
ગાંધીનગર : રાજય સરકારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર નવા પુલનું રૂપિયા 110 કરોડના ખર્ચે નિર્માણ કરવાની...
ગાંધીનગર : રાજયમાં આગામી 48 કલાક દરમિયાન રાજયમાં તાપમાનમાં વધારો થશે અને ઠંડી ઘટવાની છે. એટલે કે બે દિવસ માટે રાજયમાં ઠંડી...
ગાંધીનગર : કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27...
આપણી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એનો આપણને ગર્વ પણ છે.પરંતુ સત્તા સ્થાને બેસાડેલા પ્રતિનિધિઓ આપણા સેવકો છે. એ વાત આપણે પ્રજા...
ગાંધીનગર : નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મુલાકાત કરી હતી.ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
સુરત શહેરી વિસ્તાર ત્યાં દૂરના ગ્રામ્ય વિસ્તાર સુધી, ફરતી Blue Bus તેમજ Electric (100%) ફરતી બસો શહેરીજનો માટે – સુંદર ટ્રાન્સપોર્ટ સેવા...
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
અગાઉના વર્ષોમાં વિશાળ ડોમમાં આયોજન થતું હતું પરંતુ આ વખતે ઓડિટોરિયમ નાનું પડતાં વિદ્યાર્થીઓએ બહાર આંટા ફેરા માર્યા
પ્રતિનિધિ ગોધરા તા.20
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે શનિવારે સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યકક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, યુનિવર્સિટીના ઇતિહાસમાં ભવ્ય ગણાતા આ કાર્યક્રમમાં આ વર્ષે બેઠક વ્યવસ્થા અને સ્થળ પસંદગીને લઈને વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.
યુનિવર્સિટી દ્વારા આ વખતે પદવીદાન સમારોહનું આયોજન પરંપરાગત રીતે ખુલ્લા મેદાનમાં વિશાળ ડોમ બાંધવાને બદલે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. કુલ 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની હતી જેમાંથી 1684 જેટલા વિદ્યાર્થીઓએ રૂબરૂ ડિગ્રી લેવા માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ ઓડિટોરિયમની ક્ષમતા ઓછી હોવાથી અને પ્રોટોકોલના કારણે મોટાભાગની બેઠકો યુનિવર્સિટી સ્ટાફ, 20 PhD વિદ્યાર્થીઓ, 51 ગોલ્ડ મેડાલિસ્ટ અને NCC ના વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી.
પરિણામે, હોંશે-હોંશે ડિગ્રી લેવા આવેલા અનેક વિદ્યાર્થીઓને મુખ્ય હોલમાં પ્રવેશ મળ્યો ન હતો અને તેઓએ કાર્યક્રમ સમયે યુનિવર્સિટી બિલ્ડિંગના પરિસરમાં બહાર આંટાફેરા મારવા પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી દ્વારા વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવતા હતા. જ્યાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે સન્માનભેર બેસી શકતા હતા અને કાર્યક્રમ માણી શકતા હતા. પરંતુ આ વખતે બંધ બારણે ઓડિટોરિયમમાં સીમિત સંખ્યામાં આયોજન થતા, દૂર-દૂરથી આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યવસ્થાને લઈને ગણગણાટ શરૂ થયો હતો. વિદ્યાર્થીઓના મતે, ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવા છતાં પૂરતી બેઠક વ્યવસ્થા ન મળતા તેઓમાં અસંતોષની લાગણી જન્મી હતી.રાજ્યના મહામહિમ રાજ્યપાલ જેવા ઉચ્ચ ગરિમા ધરાવતા મહેમાન ઉપસ્થિત હોવા છતાં, યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા કાર્યક્રમની શોભામાં ઓટ આવી હતી
આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, તેમજ અતિથિ વિશેષ તરીકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા.