Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 14 નવા પૈકી સુરત ગ્રામ્યમાં 3 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 4, અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્યમાં 3, અમરેલી, ગાંધીનગર મનપા, રાજકોટ મનપા, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં 171 એક્ટિવ કેસ છે. તેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 166 દર્દીઓ સ્ટેબલ છે.

કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,079 દર્દીઓનાં મૃત્યું નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ સાજા થયા છે, આમ સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,066 દર્દીઓ સાજા થયા છે. તો સોમવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 5,01,845 લોકોને રસી આપવામાં આવી છે. સોમવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 5,01,845 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

જેમાં આજે 16 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ જ્યારે 4952ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. બીજો ડોઝ 4,952, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 85,689 અને બીજો ડોઝ 75,700, જ્યારે 18-45 વર્ષ સુધીના 2,64,887ને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ 70,601ને આપવામાં આવ્યો છે. આમ કુલ 5,01,845 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,31,68,497 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top