Gujarat

અમારી સ્થિતિ નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ જેવી : નીતિન પટેલ

મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે કહ્યું હતું કે હાલ અમારી સ્થિતિ નાણા વગરનો નાથિયો , નાણે નાથાલાલ જેવી છે. જો કે માતાજીએ મને ઉદઘાટન પ્રસંગે બોલાવ્યો છે.

પટેલે કહ્યું હતું કે સત્તા પર હોઈએ ત્યારે બધા આમંત્રણ આપે છે, જો કે આ આમંત્રણ હું જ્યારે ડે સીએમ હતો ત્યારે મને મળ્યું હતું. હવે નવી સરકાર પણ આવી અને પક્ષે મને જવાબદારી સોંપી છે, તેમ છતાં હું અહીં આવ્યો છું. તેનો મને આનંદ છે. મારી પાસે ડે સીએમનો હોદ્દો નથી તેમ છતાં મને બોલાવવામાં આવ્યો છે. નીતિન પટેલના પ્રવચનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

Most Popular

To Top