Vadodara

વોટ્સએપથી મિત્રતા કેળવી ઘેનયુક્ત પદાર્થ પિવડાવી બળાત્કાર કરનાર નરાધમની ધરપકડ

વડોદરા: બે સંતાનની માતાને મંદિરમાં લઈ જઈ સિન્દુર ભરીને ધાકધમકીથી બળાત્કાર ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો. દુષ્કર્મનો ભોગ બનનારની બહેનપણીના પિતરાઈ ભાઈએ પણ શરીર સંબંધ બાંધ્યો હોવાની કેફીયત પીડીતાએ પોલીસને જણાવી હતી. ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી અજાણ્યા લોકો સાથે સંપર્ક કરીને રાતોરાત ગાઢ પરિચય થતા કેવી લાંછનરૂપ ઘટનાઓ સમાજમાં બને છે. તેવો લાલબત્તી સમાન કીસ્સો બાપોદમાં ચાર વર્ષથી ભાડે રહેતી બે સંતાનોની માતા સાથે બન્યો હતો.

માર્ચ માસમાં મોબાઈલના માધ્યમથી પરીણીતા તુષાર સોલંકીના સંપર્કમાં આવી હતી. ચેટીંગ દરમિયાન મિત્રતા ગાઢ બનતા બન્ને અવાર-નવાર મળતા હતા. પરીણીતાનો પતિ આગ્રામાં મેડીકલ દુકાનમાં નોકરી કરતો હોવાથી તુષાર સોલંકીએ પરીણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. અને અવાર-નવાર શરીર સુખ ભોગવવા માંગણી કરતો હતો. મૂળ આગ્રાનો તુષાર તેની પરિચિત પ્રિયંકા બ્રિજમોહન (રહે. લોહામંડી પોલીસ સ્ટેશન, આગ્રા, યુ.પી.) પીડીતાના ઘરે એપ્રિલમાં આવી હતી. ત્યારે તુષાર ફ્રેન્ડશીપ કરવા માંગે છે. તેવી વાતચિત કરી હતી.

પ્રિયંકાએ પરીણીતાને પ્રેમસંબંધ રાખવાનું કહીને ઠંડા પીણામાં ઘેનયુક્ત કેફી પદાર્થ નાખીને પિવડાવ્યુ હતું. પ્રિયંકા સાથે આવેલા તેના ફઈનો પુત્ર પ્રકાશે પીરીણીતાની સાથે અર્ધબેભાન અવસ્થામાં બળજબરી પૂર્વક શારીરીક સુખ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. તુષાર અવારનવાર મળીને લગ્નની લાલચ આપતો હતો. અને પરીણીતાને હનુમાનજીના મંદિરે લઈ જઈ માંગમાં સિન્દુર ભરીતે મંગળસૂત્ર પહેરાવીને ભરોસો આપ્યો હતો. છતાં પણ પરીણીતા વશમાં ના થતા તુષારે તેના બંન્ને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. અને પરીણીતા મજબુર બની જતા તેના જ ઘરમાં, હોટલમાં તથા એકાંત સ્થળોએ સાત થી આઠ વાર લઈ જઈને પોતાની વાસના સંતોષી હતી.

  બળાત્કારની ફરિયાદ આધારે બાપોદ પીઆઈ યુ.જે.જોષીએ તુરંત દોડધામ મચાવીને બળાત્કારી તુષારને ઝડપી પાડ્યો હતો. અને પુછતાછ કરતા આરોપી એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાકટમાં નોકરી કરે છે. અને એકલો રહે છે. વાઘોડીયા હાઈવે સ્થિત રામદેવ હોટલમાં નરાધમ પીડીતાને લઈને બળાત્કાર ગુજારતો હતો.   પોલીસે ગુના સંલગ્ન તપાસમાં આરોપીના કપડા, હોટલના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આગ્રાના પિતરાઈ ભાઈ-બહેનની ધરપકડ સાથે તપાસનો દોર લંબાવ્યો હતો.

Most Popular

To Top