National

‘3 કલાકમાં આખા પરિવારને ખતમ કરી દઈશુ’,મુકેશ અંબાણીનાં પરિવારને ફરી ધમકી મળી

મુંબઈ: રિલાયન્સ ગ્રુપ(Reliance Group)ના ચેરમેન(Chairman) મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી(Threat)ઓ મળી છે. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. આટલું જ નહીં, ધમકીભર્યા ફોન માત્ર એક-બે વખત નહીં પરંતુ ત્રણ વખત કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ મામલામાં મુંબઈ(Mumbai)થી એક વ્યક્તિની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર આઠ ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે તેનો આખો પરિવાર ત્રણ કલાકમાં નાશ પામશે. આ પછી પોલીસે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે મુકેશ અંબાણીને ધમકી આપતા કુલ આઠ કોલ કરવામાં આવ્યા છે. 

ફોન કરનારે પોતાને આતંકવાદી ગણાવ્યો
આ વાતની પુષ્ટિ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની તપાસ શરૂ કરી રહ્યા છીએ. પોલીસે જણાવ્યું કે ફોન કરનાર પોતાને નંબર વન આતંકવાદી ગણાવતો હતો. તે ફોન પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને જોઈ લેવાની ધમકી આપી રહ્યો હતો. તેમજ તે NIA, ATS, મુંબઈ પોલીસને ફોન કોલ પર દુર્વ્યવહાર કરતો હતો.

ગયા વર્ષે અંબાણીના ઘરની બહારથી મળી આવી હતી શંકાસ્પદ કાર
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી. શંકાસ્પદ કાર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર ATS સિવાય NIAએ પણ આ કેસમાં તપાસ કરી હતી. જે કારમાંથી વિસ્ફોટક મળી આવ્યું હતું તે મનસુખ હિરેનની હતી. પરંતુ થોડા દિવસો બાદ જ મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક ભરેલા વાહનના સંબંધમાં NIA દ્વારા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી. સચિન વાજે પર મનસુખ હિરેનની હત્યાનો આરોપ છે.

Z+ સુરક્ષા ધરાવે છે મુકેશ અંબાણી
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલની સુરક્ષા પણ વધારી શકાય છે. જો કે, ઉદ્યોગપતિ પહેલાથી જ સરકાર તરફથી કડક સુરક્ષા મળી રહી છે. વર્ષ 2013 માં મુકેશ અંબાણીને હિઝબુલ મુજાહિદ્દીન તરફથી ધમકીઓ મળ્યા પછી, તત્કાલીન મનમોહન સિંહ સરકારે Z+ સુરક્ષા આપી હતી. તેમની પત્ની નીતા અંબાણીને કેન્દ્ર સરકાર દ્વારા 2016માં Y+ સુરક્ષા આપવામાં આવી હતી. તેમના બાળકોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગ્રેડ સિક્યોરિટી પણ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સરકાર દ્વારા આપવામાં આવતી સુરક્ષાનો ખર્ચ તે પોતે ઉઠાવે છે. 

Most Popular

To Top