National

NEET વિવાદને લઈને ગૃહમાં ગર્જ્યા PM મોદી, કહ્યું- ‘પેપર લીક કરનારાઓને બક્ષવામાં નહીં આવે’

લોકસભામાં મંગળવારે વડાપ્રધાન મોદીએ (PM Modi) વિપક્ષના સવાલોના એક પછી એક જવાબ આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ નીટ (NEET) પેપર લીકની ઘટનાઓને લઈને સરકારનું વલણ પણ સમજાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં વિપક્ષના તમામ સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન પીએમએ વિપક્ષના નેતા પર પણ નિશાન સાધ્યું. વિપક્ષની NEET અને પેપર લીકની ઘટનાઓ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગૃહની સામે કહ્યું કે કેન્દ્ર સરકાર પેપર લીકની ઘટનાઓને લઈને ગંભીર છે. અમે આરોપીઓને કોઈપણ સંજોગોમાં છોડીશું નહીં. અમે આ અંગે કાયદો બનાવી ચુક્યા છીએ.

આરોપીઓને બક્ષવામાં નહીં આવે – PM
PM મોદીએ આજે ​​ગૃહમાં વિપક્ષના અનેક સવાલોના જવાબો આપ્યા હતા. NEET અને પેપર લીક પર વિપક્ષના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું કે સરકાર પેપર લીકની ઘટનાઓને લઈને ગંભીર છે. પેપર લીક કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે આ અંગે પહેલાથી જ કડક કાયદો બનાવ્યો છે. NEET કેસમાં સતત ધરપકડ કરવામાં આવી રહી છે.

આ સિવાય ગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપતા પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પોતાના ઈશારામાં તેમણે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બાળક ગણાવ્યા હતા. રાહુલ ગાંધીનું નામ લીધા વિના વડાપ્રધાને કહ્યું કે તમે 100માંથી 99 અંક મેળવ્યા નથી, તમે 543માંથી 99 અંક મેળવ્યા છે અને એક બાળક 543માંથી 99 અંક મેળવીને બડાઈ મારતો ફરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળ બુદ્ધિમત્તાએ નિષ્ફળતાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

Most Popular

To Top