સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
બિહારના નાલંદા જિલ્લામાં આજે મંગળવારે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શીતળા માતા મંદિરમાં શીતળા અષ્ટમીના શુભ અવસર અને મેળાને કારણે લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. અને સવારથી જ દર્શન માટે ભક્તોની મોટી ભીડ મંદિરમાં એકઠી થવા લાગી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે અપૂરતી વ્યવસ્થાને કારણે અચાનક ગભરાટ ફેલાઈ ગયો અને લોકો એકબીજા પર પડ્યા, જેના કારણે ભાગદોડ મચી જતા કુલ 9 શ્રદ્ધાળુઓએ એમા જીવ ગુામાવ્યા છે અને 12 જણા ઘાયલ થયા હોવાના સમાચાર આવ્યા છે. આ અકસ્માતમાં ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયા હતા , જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ મંદિર પરિસર અને હોસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ. વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધા છે અને મંદિર અને મેળો બંધ કરાવી દીધો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે. આ અકસ્માત અંગે સ્થાનિક સ્તરે ભારે ગુસ્સો અને શોક છે. બે મૃતકોનીઓળખ રીટા દેવી (50) અને રેખા દેવી (45) થઈ ગઈ છે, અન્ય મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. રેખા દેવીના પરિવારના જણાવ્યા મુજબ, તે મેળો જોવા ગઈ હતી પરંતુ ભીડમાં ફસાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 6 લાખની સહાયની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્ર સરકારે 2 લાખની સહાયની જાહેરાત કરી છે. આમ, દરેક મૃતકના પરિવારજનોને કુલ 8 લાખનું વળતર આપવામાં આવશે. ઘાયલોને કેન્દ્ર તરફથી 50,000ની સહાય અને રાજ્ય તરફથી મફત સારવારની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારના બનાવો અન્ય ઠેકાણે અગાઉ પણ થયા હોવા છતાં મંદિર કે સરકાર આ અંગે શા માટે આટલી બેદરકારી દાખવે છે, એ સવાલ સૌ કોઈ પૂછી રહ્યું છે. આ સાથે વ્યવસ્થાતંત્ર પર પણ અનેક સવાલો ઊભા થયા છે, કે જયારે આ પ્રકારના ઉત્સવો યોજવામાં આવે છે ત્યારે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા વિશે વિચાર કરવામાં આવે છે ખરો? લોકોની જિંદગી સાથે ચેડા શા માટે? અને આટઆટલી ભીડ આવી તો પ્રશાસન અને મંદિર ટ્રસ્ટે એની કોઈ દરકાર કેમ ન લીધી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ અકસ્માત અપૂરતી પોલીસ અને વ્યવસ્થાપનને કારણે થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર, જિલ્લાના મોટાભાગના પોલીસ દળને અન્ય કાર્યક્રમો માટે તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.