26 જાન્યુઆરીએ પંજાબના કલાકાર દીપ સિદ્ધૂ, (DEEP SINDHU) જેનો લાલ કિલ્લા (LAL KILLA) પર હિંસાના કેસમાં આરોપી છે, તે ફેસબુક પર લાઇવ...
ઘણી વખત સોશ્યલ મિડિયા પર GM કે HBD જેવા ટૂંકાક્ષરી મેસેજ જોઈને મન વિચારતું થઈ જાય છે.. જ્યારે તમે તમારા સ્નેહી, સ્વજન...
ભારતનાં યુવાનો પુરૂષાર્થ કરવામાં ઘણાં પાછળ છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નિરાશા અનુભવી યાતો અનીતિનાં માર્ગે ચઢી જાય છે આ આપઘાતનાં...
નવા કૃષિ કાયદા (AGRICULTURE LAW) ને લઈને છેલ્લા બે મહિનાથી ખેડુતો દેશની રાજધાનીમાં આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા પસાર થયા બાદથી...
ભારતમાં જે દાતાઓ, ભામાશાઓ બેઠા છે તેવા વિદેશમાં નથી. વિદેશી દાતા ખૂબ ગણતરી પૂર્વકનું ધન દાન કરી નામના સાથે ધંધો પણ કરી...
ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા...
કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં...
જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. જે વાયરસનું બે વર્ષ પહેલો...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો...
નવી દિલ્હી,તા. 27(પીટીઆઇ): બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાજી કોવિડ-19 ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમાહોલ અને થિયેટરોને વધુ લોકોને પ્રવેશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers)...
નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની...
ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની...
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ...
નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી...
દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના...
ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર...
નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક...
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાનું અવસાન થયું છે. અનિલ અરોડાએ બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. આ ઘટના બાદ મલાઈકાનો પરિવાર અને તેના પરિચિતો આઘાતમાં છે.
માહિતી મળતાં જ મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી છે અને માહિતી મેળવી રહી છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.
દરમિયાન મલાઈકાના ઘરે તેના નજીકના મિત્રો અને ફિલ્મ સ્ટાર્સ પણ પહોંચ્યા છે. મલાઈકા અરોડાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાન તેના ઘરે પહોંચી ગઈ છે. અનન્યા પાંડે અને તેના પિતા ચંકી પાંડે પણ બિલ્ડિંગ પર પહોંચી ગયા છે. આ સિવાય હેલન, સોફી ચૌધરી, કિમ શર્મા અને પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ અહીં પહોંચ્યા છે.
મુંબઈ પોલીસે આ માહિતી આપી
મીડિયા સાથે વાત કરતા મુંબઈ પોલીસ અધિકારીએ આ કેસ અંગે અપડેટ આપી છે. પોલીસે કહ્યું, અનિલ અરોડાનો મૃતદેહ મળ્યો છે. તેઓ છઠ્ઠા માળે રહેતા હતા. અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. હાલ અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.
ફોરેન્સિક ટીમ પણ આવી ગઈ છે અને તપાસ પણ કરી રહી છે. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. તેણે આવું શા માટે કર્યું તેનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
મલાઈકા ઘરે પહોંચી
પિતાના નિધનના સમાચાર મળતા જ મલાઈકા અરોડા પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. તે પિતાના ઘરે પહોંચી ગઈ છે. તેણીનો વિડિયો સામે આવ્યો જેમાં અભિનેત્રી માસ્ક પહેરીને આઘાત અને ચિંતિત દેખાતી ઇમારતમાં પ્રવેશતી જોવા મળી હતી. તેની સાથે તેની નાની બહેન અમૃતા અરોડા પણ જોવા મળી હતી. અમૃતા રડતી રડતી બિલ્ડીંગમાં પ્રવેશી અને પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી.
આ દરમિયાન મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન, અમૃતા અરોરાના પતિ શકીલ લડાક, અરબાઝ ખાનના પિતા સલીમ ખાન, ભાઈ સોહેલ ખાન અને સીમા સજદેહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ તેની કાળજી લેતો જોવા મળ્યો હતો. અભિનેત્રીના મુશ્કેલ સમયમાં દરેક તેની સાથે ઉભા છે.
અરબાઝ ખાન મલાઈકાના ઘરે પહોંચ્યો
આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે. અરબાઝ ખાન મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડા પંજાબી હિંદુ પરિવારના હતા. તેનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યા છે. અનિલ અરોડાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.
મલાઈકા અરોડા ક્યાં હતી?
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અનિલ અરોડાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોડા ઘરે ન હતી. આ ઘટના આજે તા. 11 સપ્ટેમ્બર, સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અનિલ અરોડાએ બાંદ્રા બિલ્ડીંગમાં તેના ઘરની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મલાઈકા તે સમયે પુણેમાં હતી. ઘટનાની જાણકારી મળતા જ અભિનેત્રી મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ હતી.
અનિલ અરોડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે બિલ્ડિંગમાં હાજર છે. આ દરમિયાન અરબાઝની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી પણ મલાઈકાના ઘરે પહોંચી ગઈ છે. બિલ્ડિંગની બહાર મુંબઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.
ફોરેન્સિક ટીમ મલાઈકાના ઘરે પહોંચી
મુંબઈ પોલીસની સાથે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમણે ઘટના સ્થળે પોતાનું કામ શરૂ કરી દીધું છે. વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે અને આ મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. અનિલ અરોડાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવાનું બાકી છે.
ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
જુલાઈ 2023 માં મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અભિનેત્રી હોસ્પિટલમાં તેની માતા જોયસને મળવા પણ જોવા મળી હતી. જો કે અનિલ અરોડાને કયા કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મલાઈકા કે તેના પરિવારે અનિલ અરોડાના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.