મૌલાના કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી 1 રૂપિયાનું દાન મેળવે છે

ધંધૂકામાં કિશન હત્યા (Kishan Murder) કેસમાં વધારે ત્રણ આરોપીઓની (Accused) ધરપકડ (Arrest) કરી છે. આ સમગ્ર મામલે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યા બાદ તપાસ સંસ્થાઓ વધારે સક્રિય બની છે. જો કે ATSના અધિકારીઓ હજી પણ પાકિસ્તાન કનેક્શન નહી હોવાનું જણાવી રહ્યા છે. આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. જોકે આ દરમ્યાન પૂછપરછમાં વધુ એક બાબતનો ઘટસ્ફોટ થયો છે. મૌલાના (Maulana) કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (તેહરીકે ફરોકી ઈસ્લામિક ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. 

મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પકડાયેલા ત્રણ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે તેહરીકે ફરોકી ઈસ્લામિક નામનું સંગઠન ચલાવે છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે.

ATSએ જણાવ્યું છે કે કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા. ATSની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટીપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરિત કરતો હતો. આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરાઈને આરોપી શબ્બીરે ધંધુકાના કિશન ભરવાડની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top