આગરામાં કરણી સેનાએ સપા સાંસદ રામજી લાલ સુમનના ઘર સુધી કૂચ કરવાની જાહેરાત કર્યા પછી પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે. કરણી સેનાના કાર્યકરો ગુસ્સે ભરાયા છે. તેઓ લાકડીઓ અને તલવારો લહેરાવી રહ્યા છે. તેઓએ લાકડીઓ વડે હુમલો કર્યો અને રસ્તા પરના બેરિકેડ તોડી નાખ્યા. આ પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગને જામ કરી દીધો. કરણી સેનાનું આક્રોશ જોઈ પોલીસે અનેક સ્થળોએ બેરિકેડિંગ કરી દીધું છે.
દરમિયાન કરણી સેના યુવા પાંખના રાષ્ટ્રીય પ્રમુખ ઓકેન્દ્ર રાણાએ કહ્યું કે વહીવટીતંત્ર પણ અમને સુમનના ઘરે જતા રોકી શકશે નહીં. અમે અમારું કામ કરીશું, વહીવટીતંત્ર પોતાનું કામ કરશે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. કોઈ પણ સંજોગોમાં અમે પાછા હટવાના નથી.
આ પહેલા કરણી સેના દ્વારા રક્ત સ્વાભિમાન સમ્મેલન યોજવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ આગ્રાના ગઢી રામીમાં 50 વીઘામાં ફેલાયેલા પંડાલમાં ભેગા થયા હતા. પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ, જેને જોઈને કરણી સેનાના કાર્યકરો ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ પોલીસકર્મીઓને ઘેરી લીધા અને તલવારો અને લાકડીઓ લહેરાવવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે સ્થળ છોડી દેવું પડ્યું હતું.
આ કાર્યકરો રાણા સાંગા પર નિવેદન આપનારા સપા સાંસદ રામજી સુમનના ઘર સુધી કૂચ કરી રહ્યાં છે. આ માટે પોલીસે 500 સ્થળોએ બેરિકેડિંગ કર્યું છે. રસ્તાઓ પર મોટા મોટા પથ્થરો મૂકવામાં આવ્યા છે. 10 હજાર પીએસી અને પોલીસ કર્મચારીઓ તૈનાત છે. ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
રામજી સુમનના નિવાસસ્થાનને છાવણીમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. 1000 પોલીસ કર્મચારીઓ તૈનાત છે. એક કિલોમીટરનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. સપા સાંસદે પોતાની અંગત સુરક્ષા માટે 10 બાઉન્સર પણ તૈનાત કર્યા છે.
હિન્દુ દેશદ્રોહી રાણા સાંગાના વંશજ- સુમન
રામજી લાલ સુમને 21 માર્ચે રાજ્યસભામાં કહ્યું હતું કે ભાજપના લોકોનો આ એક વાક્ય બની ગયું છે કે મુસ્લિમોમાં બાબરનો ડીએનએ છે. તો પછી હિન્દુઓમાં કોનો ડીએનએ છે? બાબરને કોણ લાવ્યો? ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા બાબરને ભારત લાવ્યા હતા. જો મુસ્લિમો બાબરના વંશજો છે તો તમે (હિન્દુઓ) દેશદ્રોહી રાણા સાંગાના વંશજો છો. આનો નિર્ણય ભારતમાં થવો જોઈએ. તેઓ બાબરની ટીકા કરે છે, રાણા સાંગાની નહીં. તેમણે દેશની સ્વતંત્રતાની લડાઈમાં અંગ્રેજોની સેવા કરી હતી.
