National

ટ્રમ્પના સલાહકાર પીટરની ‘બ્રાહ્મણ’ વાળી કોમેન્ટની ભારતે સખ્ત નિંદા કરી, કહ્યું..

વિદેશ મંત્રાલય (MEA) એ વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોના તાજેતરના નિવેદનોની સખત નિંદા કરી છે, તેમને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે પીટર નાવારો દ્વારા આપવામાં આવેલા ખોટા અને ભ્રામક નિવેદનો જોયા છે અને અમે તેમને નકારી કાઢીએ છીએ.

અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફનો બચાવ કરતી વખતે પીટર નાવારોએ વિવાદાસ્પદ આરોપ લગાવ્યો હતો કે ‘બ્રાહ્મણો’ ભારતીય લોકોના ભોગે નફો કરી રહ્યા છે. આના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત-અમેરિકા સંબંધો સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રણધીર જયસ્વાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સહિયારા હિતો, લોકશાહી મૂલ્યો અને મજબૂત લોકો-થી-લોકોના સંબંધો પર આધારિત છે.

તેમણે કહ્યું કે પડકારો અને ફેરફારો છતાં, આ ભાગીદારી મજબૂત રહી છે અને બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય એજન્ડાને અનુસરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અમને આશા છે કે આ સંબંધ પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે વધતો રહેશે. અલાસ્કામાં ચાલી રહેલા સંયુક્ત લશ્કરી કવાયતો અને તાજેતરમાં 2+2 આંતર-સત્ર બેઠકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ પહેલો બંને દેશોની મજબૂત ભાગીદારીનો પુરાવો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત અમેરિકા સાથે તેની ભાગીદારીને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

પીટર નવારોએ શું ટિપ્પણી કરી હતી?
વ્હાઇટ હાઉસના વેપાર સલાહકારે પીટર નવારોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભારત રશિયા અને ચીન સાથેના સંબંધો કેમ મજબૂત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય લોકોએ સમજવું જોઈએ કે બ્રાહ્મણો પોતાના ફાયદા માટે સામાન્ય લોકોના ભોગે નફો કમાઈ રહ્યા છે અને આને રોકવું જરૂરી છે.

Most Popular

To Top