Gujarat

ગુજરાતના આ રાજા આજે પણ પોલેન્ડમાં ભગવાનની જેમ પૂજાય છે, ખૂબજ દિલચસ્પ છે તેનું કારણ

શું તમે જાણો છો કે ભારત અને પોલેન્ડના સંબંધો (India And Poland Relationship) ઘણા જૂના અને મજબૂત છે. સંબંધો કેટલા મજબુત છે એ વાત પરથી પણ સમજી શકાય છે કે આજે પણ પોલેન્ડની સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે જામનગરને યાદ કરવામાં આવે છે. જ્યારે સત્ર શરૂ થાય છે ત્યારે સૌથી પહેલા મહારાજા (King) જામ સાહેબ દિગ્વિજય સિંહને યાદ કરવામાં આવે છે. પોલેન્ડના લોકો ભારતીય રાજાને આ સન્માન આપે છે. આ સન્માન પાછળની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. તમને જણાવીએ કે મહારાજ દિગ્વિજય સિંહ અને પોલેન્ડ વચ્ચે કેવા સંબંધો હતા.

મહારાજાના નામ પર રસ્તાઓ
તમને જણાવી દઈએ કે આજે પણ પોલેન્ડમાં જામનગરની ખૂબ જ ચર્ચા થાય છે અને લોકો તેમના માટે ખૂબ માન ધરાવે છે. એવું પણ કહેવાય છે કે મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહને પોલેન્ડમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. તેમની દયાની વાર્તા આજે પણ લોકોને કહેવામાં આવે છે. જ્યારે તમે પોલેન્ડની મુલાકાત લો ત્યારે તમને મહારાજાના નામ પર ઘણી શેરીઓ જોવા મળશે. આજે પણ લોકો મહારાજા દિગ્વિજય સિંહને યાદ કરે છે અને તેમના વિશે વાત કરે છે.

પોલેન્ડમાં મહારાજા દિગ્વિજય સિંહનું આટલું સન્માન કેમ થાય છે તેની પાછળનું કારણ મહારાજાની દયા છે. વાસ્તવમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજાએ પોલેન્ડના સેંકડો નાગરિકોને તેમના સ્થાને આશ્રય આપ્યો હતો. મહારાજાએ 700 થી વધુ પોલિશ બાળકો અને મહિલાઓને ન માત્ર આશ્રય આપ્યો પરંતુ બાળકોને શાળાઓમાં દાખલ કર્યા હતા. મહારાજાએ શરણાર્થીઓની સંપૂર્ણ કાળજી લીધી અને તેમને દરેક શક્ય મદદ કરી હતી.

પોલેન્ડના લોકો ભારત કેવી રીતે પહોંચ્યા તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો ત્યારે પોલિશ સૈનિકોએ 500 મહિલાઓ અને લગભગ 200 બાળકોને જહાજમાં મોકલી દીધા હતા. સૈનિકોએ તે સમયે કહ્યું હતું કે તેઓ કોઈ પણ દેશમાં જ્યાં તેઓ આશરો મેળવી શકે ત્યાં જાઓ અને પછી જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોય ત્યારે પાછા ફરજો.

ક્યાંય આશરો મળ્યો નહીં
સ્થિતિ એવી બની ગઈ હતી કે પોલેન્ડના નાગરિકોને કોઈ દેશમાં આશરો મળ્યો ન હતો. અંતે પોલેન્ડના નાગરિકોનું જહાજ જામનગરના દરિયાકાંઠે પહોંચ્યું હતું. જ્યારે તત્કાલીન જામ મહારાજા દિગ્વિજય સિંહને આ વાતની જાણ થઈ તો તેમણે પોલેન્ડની મહિલાઓ અને બાળકો માટે પોતાના મહેલના દરવાજા ખોલી દીધા. મહારાજાએ પોલેન્ડના લોકોને ન માત્ર આશ્રય આપ્યો પરંતુ તેમના બાળકોના શિક્ષણની પણ કાળજી લીધી. પોલેન્ડના આ શરણાર્થીઓ લગભગ એક દાયકાથી જામનગરમાં રહેતા હતા. મહારાજાની આ મહેરબાનીના કારણે આજે પણ પોલેન્ડમાં જામનગરના મહારાજા દિગ્વિજયસિંહને ખૂબ જ સન્માન સાથે યાદ કરવામાં આવે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ જામનગરમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હોવાથી પોલેન્ડ અને ભારતના સંબંધોની ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ તેમની જાહેર સભામાં જણાવ્યું હતું કે જામનગરના રાજા દિગ્વિજય સિંહના કારણે આજે ભારત અને પોલેન્ડના સંબંધો ખૂબ જ મજબૂત છે કારણ કે તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના નાગરિકોને જામનગરમાં આશ્રય આપ્યો હતો અને તેમના માટે અલગ વ્યવસ્થા કરી હતી. તેમણે જે બીજ વાવ્યા હતા તેના કારણે પોલેન્ડ સાથેના આપણા સંબંધો આજે પણ મજબૂત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે પણ પોલેન્ડની સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે જામનગરને યાદ કરવામાં આવે છે. જ્યારે સત્ર શરૂ થાય છે ત્યારે સૌથી પહેલા મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહને યાદ કરવામાં આવે છે.

Most Popular

To Top