National

ગોવા: PM મોદીએ 77 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં પૂજા કરી. તેમણે ભગવાન રામની ૭૭ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું જે શ્રીરામની વિશ્વની સૌથી ઊંચી હોવાનો દાવો કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. ૭૭ ફૂટ ઊંચી આ પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા કાંસાની બનેલી છે. અનાવરણ સમારોહ દરમિયાન ગોવામાં એક સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર પર પવિત્ર ધ્વજ ફરકાવ્યાના થોડા દિવસો પછી ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તે ખૂબ જ ખુશીની વાત છે.

આ પહેલાં દિવસની શરૂઆતમાં પીએમ કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠમાં પ્રાર્થના કરી, સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કર્યું અને સુવર્ણ કળશ ચઢાવ્યો. આ પછી પીએમએ 100,000 લોકો સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ કર્યું.

પીએમએ ઉડુપીમાં 25 મિનિટનું ભાષણ આપ્યું જ્યાં તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશો વિશે વાત કરી. પીએમએ કહ્યું, “ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે શાંતિ અને સત્ય પુનઃસ્થાપિત કરવા માટે જુલમીનો અંત લાવવો જરૂરી છે. આ રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો સાર છે. અગાઉની સરકારોએ આતંકવાદી હુમલાઓ પછી બદલો લીધો ન હતો પરંતુ આ નવું ભારત છે.”

શ્રી રામ પ્રતિમાની વિશેષતા શું છે?
કા-ના-કો-ના ગોવાના પોર્ટુગીઝ વિસ્તારમાં સ્થિત છે જ્યાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ સ્થિત છે. ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી પ્રતિમા વિશ્વની સૌથી મોટી હોવાનું કહેવાય છે. અહીં પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી હતી જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન પણ કરી હતી. આ કાંસ્ય પ્રતિમા 77 ફૂટ ઊંચી છે જે તેને ભગવાન રામની અત્યાર સુધી સ્થાપિત થયેલી સૌથી ઊંચી પ્રતિમા બનાવે છે.

ગોવાના જાહેર બાંધકામ વિભાગના મંત્રી દિગંબર કામતે જણાવ્યું હતું કે આ નવી પ્રતિમા વિશ્વની ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા બનવા જઈ રહી છે, જે મઠના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ વધારશે. મઠ ખાતે આયોજિત આજનો કાર્યક્રમ તાજેતરના વર્ષોમાં મઠ ખાતે યોજાયેલા સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે.

Most Popular

To Top