Gujarat

દશામાના ઉત્સવમાં કરૂણાંતિકાઃ સાબરમતીમાં મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતા 3ના મોત

ગાંધીનગરઃ દશામાના ઉત્સવની ઉજવણી દરમિયાન ગાંધીનગરમાં કરૂણાતિંકા સર્જાઈ છે. સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જિત કરતી વખતે એક બાળકી ડૂબી હતી, જેને બચાવવા માટે 4 લોકો નદીમાં કૂદયા હતા, જે પૈકી 3ના મોત થતાં માતમ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર 30માં ગોઝારી ઘટના બની છે. અહીં સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પોમાં મૂર્તિ વિસર્જિત કરવા કેટલાંક પરિવારો આવ્યા હતા. દરમિયાન એક 12 વર્ષની બાળકી ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી, તેને બચાવવા માટે 4 લોકો નદીમાં કૂદયા હતા. તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, જેના લીધે એક બાદ એક 3ના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા.

વધુમાં મળતી માહિતી અનુસાર સાબરમતીમાં ડૂબી તે બાળકી અમદાવાદની હતી. પૂનમ પ્રજાપતિ નામની આ બાળકી મૂર્તિ વિસર્જન વખતે નદીના ઊંડા પાણીમાં ડૂબી હતી. તેને બચાવવા નદીમાં કૂદેલા અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ પણ ડૂબી ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.

ફાયર વિભાગે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અમરાઈવાડીના અજય વણઝારા, ભારતી પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top