National

રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વિરુદ્ધ FIR, કહ્યું- માફી નહીં માંગું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે આપેલા નિવેદન બદલ કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખોને લઈને નિવેદન આપ્યું હતું, જેના પર રવનીત બિટ્ટુએ તેમને આતંકવાદી ગણાવ્યા હતા. આ અંગે ઘણો હોબાળો થયો હતો અને કર્ણાટકમાં રવનીત બિટ્ટુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કર્ણાટકના એક કોંગ્રેસી અધિકારીએ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (ખોટી માહિતીના આધારે નિવેદન આપવી અથવા અફવાઓ ફેલાવવી), 192 (હુલ્લડો ભડકાવવાના ઉદ્દેશ્યથી ઉશ્કેરણીજનક નિવેદનો આપવા), 196 (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી) વિરુદ્ધ નોંધવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી પર આઈપીસી હેઠળ બેંગ્લોરના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

જ્યારે રવનીત બિટ્ટુને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેમને રાહુલ ગાંધી વિરુદ્ધ આપેલા નિવેદન પર પસ્તાવો છે? તો રવનીત બિટ્ટુએ કહ્યું, ‘હું શા માટે માફી માંગીશ?’ અમે પંજાબમાં એક આખી પેઢી ગુમાવી છે. ગાંધી પરિવારે પંજાબ સળગાવી દીધું. મારી પીડા એક શીખ તરીકે છે. હું પ્રધાન પછી છું, પરંતુ શીખ પ્રથમ છું. જો પન્નુ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે તો હવે આપણે શું કહી શકીએ?

Most Popular

To Top