Entertainment

‘હમારે બારહ’ને સુપ્રીમ કોર્ટ તરફથી ફટકો, કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી અન્નુ કપૂરની ફિલ્મ રિલીઝ નહીં થાય

અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે. ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. હમારે બારહનું ટ્રેલર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. ફિલ્મ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ને જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચ તરફથી કોઈ રાહત મળી નથી. આ ફિલ્મ આવતીકાલે જ રિલીઝ થવાની હતી પરંતુ હવે કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે રિલીઝ નહીં થાય.

કેસનું સમાધાન ન થાય ત્યાં સુધી હોલ્ડ પર
જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ દ્વારા કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. તેમજ હાઇકોર્ટને વિનંતી કરી છે કે અરજીનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અરજદારે કહ્યું કે સીબીએફસી પોતે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પક્ષકાર છે અને તેની પોતાની કમિટી ફિલ્મનું સ્ક્રીનિંગ કેવી રીતે કરી શકે? અરજદારે કહ્યું કે સીબીએફસીએ આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે એક કમિટી બનાવી છે. સ્ક્રિનિંગ પછી CBFC સમિતિએ ટીઝર અને તે ફિલ્મ સાથે સંબંધિત કેટલાક ભાગોને દૂર કરવાનું સૂચન કર્યું હતું. જેને હટાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝને મંજૂરી આપવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર
બોમ્બે હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીકર્તા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ઈસ્લામિક આસ્થાની વિરુદ્ધ છે અને ભારતમાં પરિણીત મુસ્લિમ મહિલાઓનું અપમાન કરે છે. ફિલ્મના કેટલાક ડાયલોગ્સ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ અન્નુ કપૂરે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. અન્નુ કપૂરે પોતાના વીડિયોમાં દાવો કર્યો હતો કે આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે. વીડિયોમાં અભિનેતાએ કહ્યું હતું કે આ ફિલ્મ માત્ર મહિલા સશક્તિકરણ અને મહિલા અધિકારોની તરફેણ કરે છે. તમે સૌ પહેલાં ફિલ્મ જુઓ અને પછી જ કોઈ અભિપ્રાય આપો અથવા તમારો નિર્ણય આપો. દરેકને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ આ રીતે કોઈને અપશબ્દો કહેવા જોઈએ નહીં. જેથી મારી નાખવાની ધમકી આપવી નહીં. અમે આ વસ્તુઓથી ડરતા નથી.

Most Popular

To Top