Surat Main

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જીતેલા 27 કોર્પોરેટરો સાથે વાતચીત કરી, સીઆર પાટીલ પર સાધ્યું નિશાન

સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) શુક્રવારે સુરત પધાર્યા છે. સુરતના પ્રવાસ દરમિયાન મીની બજાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે. કેજરીવાલ સવારે 8 વાગ્યા આસપાસ સુરત એરપોર્ટ (Surat Airport) પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા સર્કિટ હાઉસ ગયા હતા..

બપોરે એક વાગ્યા બાજુ કેજરીવાલે સુરતમાં આપના વિજેતા કોર્પોરેટરને સંબોધન કર્યું હતું, જેમાં તેણે તમામ કોર્પોરેટરને ઉદ્દેશીને કહ્યું હતું કે “જે રીતે કોંગ્રેસની હાલત થઇ છે તેવી તમારી ન થવી જોઈએ આ લોકો સુરત મનપામાં તમને શાંતિથી રહેવા નહીં દે, પણ તમે લોકો પાલિકામાં કઈ પણ ખોટું થવા ન દેતા અને કોંગ્રેસની જેમ ભ્રસ્ટાચારમાં નહીં પડતા”..

બપોરે 3:00 વાગ્યે વરાછાના મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જોડાશે. વરાછા મીનીબજારના માનગઢ ચોક પર સરદાર વલ્લભભાઇ પટેલની (Sardar VallabhbhBhai Patel, Iron Man of India) પ્રતિમાને પુષ્પઅંજલી આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા પર રોડ-શો પૂર્ણાહુતિ કરશે. અહીં લોકોને સંબોધી ફરી સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.

સુરતના કેટલાક વેપારીઓ અને ઉદ્યોગકારો તેમજ ચેમ્બરના પદાધિકારીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી. જોકે બુધવારે આ મીટિંગ રદ્દ કરવામાં આવી હોવાનું ચેમ્બરે જણાવ્યું હતું. ચર્ચા એવી છે કે સરકારના દબાણ હેઠળ ચેમ્બરે કેજરીવાલ સાથેની મીટિંગ રદ્દ કરી છે. જોકે ચેમ્બરનું કહેવું છે કે અનિવાર્ય કારણોસર મીટિંગ રદ્દ કરવાની ફરજ પડી છે. જો કે આમ આમન્ત્રણ આપ્યા બાદ મિટિંગ રદ કરતા વિવાદ સર્જાયો છે, અને રાજકીય પાસના કારણે આ રદનું ફરમાન આવ્યું હોવાનું પણ ચર્ચાય રહ્યું છે..

સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આપના ઉમેદવારોની જીત થઈ છે. આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગકારો રહે છે. આ વિસ્તારોમાં હીરાની ફેક્ટરી, ઓફિસો આવેલી છે. જેથી સુરત આવી રહેલા કેજરીવાલ સાથે વાર્તાલાપ માટે ઔદ્યોગિક સંગઠનોની મદદથી મીટિંગનું આયોજન કરવા માટે મંગળવારે સાંજથી જ ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતાં. આખરે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ મીટિંગ ગોઠવવાનું નક્કી થયું હતું. આ અંગે મેમ્બર્સને મેસેજ મારફતે જાણ કરી દેવાઈ હતી. જોકે, ત્યાર બાદ એકાએક જ આ મીટિંગ રદ કરી દેવામાં આવી હોવાના મેસેજ ચેમ્બર દ્વારા ફરતા કરવામાં આવતા તરેહતરેહની ચર્ચા ઉઠી હતી.

શહેરના વેપારી આલમમાં એવી ચર્ચા શરૂ થઈ કે, રાજકીય દબાણને વશ થઈ આ મીટિંગ રદ કરવામાં આવી છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્પષ્ટતા કરી કે, ચેમ્બર બિનરાજકીય સંસ્થા છે.કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતી નથી. તેથી કોઈ રાજકીય દબાણને વશ થઈ દિલ્હીના મુખ્યમંત્રી સાથેની મીટિંગ રદ કરાઈ હોવાની વાત પાયાવિહોણી છે. કેટલાંક અનિવાર્ય સંજોગોના લીધે મીટિંગ રદ કરવી પડી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top