Gujarat

રાજ્યમાં કોરોનાના નવા કેસો 1000ને પાર


રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 1,122 કેસ નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 96.54 ટકા પર આવી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરત અને વડોદરા મનપામાં એક- એક દર્દીનું મોત થયું છે.

કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,430 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 264, સુરત મનપામાં 315, વડોદરા મનપામાં 97, રાજકોટ મનપામાં 88, ભાવનગર મનપામાં 15, ગાંધીનગર મનપામાં 14, જામનગર મનપામાં 18 અને જૂનાગઢ મનપામાં 8 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 5310 વેન્ટિલેટર ઉપર 61 અને 5249 દર્દીઓ સ્ટેબલ છે.

બુધવારે 67,734 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યની તમામ મનપાઓમાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લોકોને સમય મર્યાદામાં આવરી લેવાય તે માટે વેક્સિનેશન સેન્ટર ખાતે રાત્રિના 9-30 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22,71,145 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,54,662 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આજે બુધવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 52,952 વ્યકિતઓનું રસીકરણ કરાયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આ રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top