Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 4205 કેસ, કુલ 54 દર્દીનાં મૃત્યું

રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 4,205 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત 54 દર્દીના મોત થયા હતાં. જેમાં અમદાવાદમાં આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી. અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9523 થયો છે. જ્યારે 1,47,860 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 7, સુરત મનપામાં 6, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 3, વડોદરા ગ્રામ્યમાં 3, રાજકોટ મનપામાં 3, રાજકોટ ગ્રામ્યમાં 2, જામનગર મનપામાં 3, ભાવનગર મનપા 1, જૂનાગઢ મનપા 1, મહેસાણામાં 2, સહિત કુલ 54 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 692, સુરત મનપામાં 294, વડોદરા મનપામાં 380, રાજકોટ મનપામાં 169, ભાવનગર મનપામાં 66, ગાંધીનગર મનપામાં 38, જામનગર મનપામાં 118 અને જૂનાગઢ મનપામાં 73 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 156, જામનગર ગ્રામ્ય 71, વલસાડ 45, મહેસાણા 115, વડોદરા ગ્રામ્ય 165 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 80,127 વેન્ટિલેટર ઉપર 679 અને 79,448 દર્દીઓ સ્ટેબલ છે.

Most Popular

To Top