Charchapatra

ભેળ-સેળ…. જીવનમાં બળતું ઝેર

અત્યંત જોખમકારક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માનવ સમાજ માટે ભંયકર છે. તેલ-ઘી તો ખરાં જ પરંતુ મરી-મસાલા, ફુટને ચમકાવવા મીણ લગાવવું, ફુડપેકેટો તૈયાર કરનાર જ જાણે શું એમાં વપરાયુ છે ! વળી પકડાય તેના કરતાં છૂપુ છૂપુ ભેળસેળ પ્રજાના જાણવામાં જ નથી આવતું. મીલાવટનો વિસ્તાર બેસુમાર. દવાઓમાં પણ આ દુષણ ઘૂસી ગયું છે. આપણું શહેર ફરસાણનું શોખીન.

તૈયાર થવામાં વપરાતું તેલ કોને ખબર ? પાવડે પાવડે રાતોરાત નાણાં એકઠાં કરી પૈસાદાર બની જવાની લ્હાય છૂપાયેલી છે. આખાને આખા સ્ટીકર જાણીતી કંપનીના ચોંટાડી ભેળસેળિયા થીજ વસ્તુ પર મૂળ કંપનીના ભાવ વસુલ કરવામાં આવે. નફાનો માર્જીન તો તપાસો. અમેરિકા જેવા અન્ય દેશોમાં ભેળસેળ પ્રવૃત્તિ પર સખ્ત પ્રતિબંધ અને કાયદાની જોગવાઈ છે.

જ્યારે આપણે ત્યાં ભેળસેળ પ્રમાણ દિનપ્રતિદિન વધતુ જ જાય, માનવજીવન સાથે ચોંકાવનારા છે. ધનદોલત ગુમાવી તેણે થોડું ગુમાવ્યું, તંદુરસ્તી ગુમાવી તેણે અઢળક ગુમાવ્યુ, અને ઈજ્જત ગુમાવી તેણે ? મિલાવટનું ખૂબ ઝડપથી પ્રસરતું ઝૈર રોકવા પગાં જરૂરી.

સુરત     -કુમુદભાઈ બક્ષી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top