Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417
Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણી અંતર્ગત રાજ્યમાં ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે ૭૫ સપ્તાહની દેશવ્યાપી ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨મી માર્ચ-૨૦૨૧થી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ જન-જન સુધી રાષ્ટ્રભાવનાની ચેતનાને વધુ બળવત્તર બનાવવા ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં જન-જન સુધી રાષ્ટ્રભાવનાની ચેતના જાગૃત થાય તે પ્રકારે આ ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું છે. જે અંતર્ગત રાજયમાં રાજ્યકક્ષાના ૧૫, જિલ્લાકક્ષાના ૨૦ અને તાલુકાકક્ષાના ૪૦ મળીને કુલ ૭૫ સ્થળોએ ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ તમામ કાર્યક્રમો 2 થી 3 કલાકના રહેશે. દરેક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો/સેલેબ્રિટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ઉપરાંત, આઝાદીની ગાથા અને સ્વર્ણિમ ગુજરાત અંગેનો મલ્ટિમિડીયા શૉ રજૂ કરવામાં આવશે. લોકપ્રિય વક્તાઓ, જાણીતા સ્ત્રી-પુરુષ કલાકારો અને યુવા પ્રતિભાશાળી કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથો-સાથ સ્થાનિક કલાકારો, સ્થાનિક કલા, સ્થાનિક વાનગીઓ તથા ખાદી વગેરેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા/મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પ્રવાસન વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને માહિતી વિભાગ દ્વારા સંકલનમાં રહીને આ કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણીની પૂર્ણાહુતિ આગામી તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ થશે

Most Popular

To Top