Entertainment

બે કલાકારોના મોતથી ટીવી જગત આઘાતમાં, અનુપમાના નિતેશ પાંડેનું હાર્ટએટેકથી નિધન

મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી (Telywood) વધુ બે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સિરિયલ સારાભાઈ વર્સીસ સારાભાઈની (SarabhaivsSarabhai) અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું (VaibhaviUpadhyay) હિમાચલમાં કાર અકસ્માતમાં મોત (Death) થયું છે જ્યારે અનુપમા (Anupama) સિરિયલના અભિનેતા નિતેશ પાંડેનું (NiteshPandey) હાર્ટએટેકથી (HeartAttack) નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે 51 વર્ષની વયે પાંડેનું અવસાન થયું છે.

તેમણે મુંબઈ નજીક ઈગતપુરીમાં અંતિમ શ્વાસ લીધા. તેના મૃત્યુના થોડા કલાકો પહેલા, અભિનેતાએ તેના રિસોર્ટમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે હોલિડે એન્જોય કરતો જોવા મળ્યો હતો. નિતેશ ઉત્તરાખંડના અલ્મોડાનો રહેવાસી હતો.

નિતેશ પાંડેના અવસાનથી મનોરંજન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ ભીની આંખો સાથે અભિનેતાને અંતિમ વિદાય આપી રહ્યા છે. તેમના માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે કે હસતો ચહેરો આજે તેમની વચ્ચે નથી. નિતેશ છેલ્લા 25 વર્ષથી ભારતીય ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો હતા.

અનુપમા શોના લીડ એક્ટર સુધાંશુ પાંડેએ નિતેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે બંને વચ્ચે સારો બોન્ડ હતો. તેઓ હજી પણ અભિનેતાના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતા નથી. તેઓ અનુપમા શો દરમિયાન બંધાયેલા હતા. બંને વેબ શો, ફિલ્મો અને OTT કન્ટેન્ટ પર ઘણી વાતો કરતા હતા. બંનેની છેલ્લી મુલાકાત થોડા સમય પહેલા સેટ પર થઈ હતી.

નિતેશે શાહરૂખ સાથે કામ કર્યું હતું
નિતેશે 1990માં થિયેટરમાં કરિયરની શરૂઆત કરી હતી. તે ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યો હતો. તેણે ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમાં શાહરૂખ ખાનના સહાયકની ભૂમિકા ભજવી હતી. તે બધાઈ દો, રંગૂન, હન્ટર, દબંગ 2, બાઝી, મેરે યાર કી શાદી હૈ, મદારી જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

ટીવી શોની વાત કરીએ તો, તેણે સાયા, અસ્તિત્વ…એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલી મા જેવી સિરીયલોમાં તેના ઉત્કૃષ્ટ કામથી દરેકનું દિલ જીતી લીધું. નિતેશ પોતાના દમદાર અવાજ માટે પણ જાણીતા હતા. ડ્રીમ કેસલ પ્રોડક્શન્સ નામનું તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ હતું. ત્યાં તે રેડિયો શો કરતો.

નિતેશ છેલ્લે અનુપમા શોમાં જોવા મળ્યા
નિતેશ લોકપ્રિય શો અનુપમામાં ધીરજ કપૂરની ભૂમિકા ભજવી હતી. તેણે અનુજના મિત્ર તરીકે શોમાં એન્ટ્રી લીધી હતી. સિરિયલમાં હજુ પણ તેનો ટ્રેક ચાલી રહ્યો હતો. પરંતુ જુઓ, કોને ખબર હતી કે આ તેનો છેલ્લો શો હશે. નિતેશ પાંડેના નિધનના સમાચાર સાંભળીને અનુપમા શોની ટીમ આઘાતમાં છે.

અભિનેતાએ તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા હતા
અંગત જીવનમાં નિતેશે 1998માં અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેએ 2002માં છૂટાછેડા લીધા હતા. બાદમાં નિતેશે ટીવી એક્ટ્રેસ અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યા. બંનેની મુલાકાત ટીવી શોના સેટ પર થઈ હતી.

સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત
લોકપ્રિય સિરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય હવે નથી રહ્યાં. અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે સેલેબ્સ સહિત ચાહકોને હચમચાવી દીધા છે.

અભિનેત્રીની દુર્ઘટના કુલ્લુના બંજરમાં ગઈકાલે એક દિવસ પહેલા એટલે કે સોમવારે થઈ હતી. અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી ઉપાધ્યાય પોતાની મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે તીર્થન ખીણમાં ફરવા જઈ રહી હતી. પરંતુ વળાંક પર વાહને નિયંત્રણ ગુમાવ્યું અને અભિનેત્રીને અકસ્માત થયો. અભિનેત્રીની કાર ખાડામાં પડી.

અકસ્માત સમયે વૈભવીના મંગેતર જય સુરેશ ગાંધી પણ ત્યાં હાજર હતા. તેને સામાન્ય ઈજાઓ થઈ છે, જેની બંજાર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વૈભવી તેના મંગેતર જય સુરેશ ગાંધી સાથે તેની ફોર્ચ્યુનર કારમાં બંજરની તીર્થન ખીણની મુલાકાતે જઈ રહી હતી. તે જ સમયે, બંજાર નજીક સિધવા ખાતે, તેણીનું વાહન નિયંત્રણ બહાર ગયું અને તે લગભગ 50 ફૂટ નીચે રોડથી નીચે પડી ગઈ.

Most Popular

To Top