કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા થયેલાને આપવામાં આવેલી રજા (બ) બાદ મૃત્યુ પામેલાની સંખ્યા (ક) વત્તા નવા દરદીઓની સંખ્યા (ડ) રોજેરોજ કેટલા દરદીઓ કોરોનાથી સંક્રમિત છે જેથી ખરેખરી સંખ્યા જાણી શકાય. આ પ્રમાણે બધી જગ્યાઓનો સરવાળો આપી રાજયની માહિતી આપી શકે છે.
સુરત-કિશોર એ. કાપડિઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.