એડ ગુરુ પદ્મશ્રી પીયૂષ પાંડેનું ગુરુવારે નિધન થયું. આજે આ સમાચાર સામે આવ્યા. તેમણે 70 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ “અબકી બાર મોદી સરકાર” સૂત્ર અને “મિલે સુર મેરા તુમ્હારા” ગીતના લેખક હતા.
પિયુષ પાંડેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. અહેવાલો દર્શાવે છે કે તેઓ શરીરમાં ચેપથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે.
પિયુષ 27 વર્ષની ઉંમરે જાહેરાત ઉદ્યોગમાં જોડાયા હતા. તેઓએ તેમના ભાઈ પ્રસૂન પાંડે સાથે શરૂઆત કરી હતી. તે બંનેએ રોજિંદા ઉત્પાદનો માટે રેડિયો જિંગલ્સ પર અવાજ આપ્યો અન્વ ત્યારથી પ્રખ્યાત થયા હતા.
તેઓ ૧૯૮૨માં જાહેરાત કંપની ઓગિલ્વીમાં જોડાયા. ૧૯૯૪માં તેમને ઓગિલ્વીના બોર્ડમાં નામાંકિત કરવામાં આવ્યા. ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા પીયૂષને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૨૪માં તેમને LIA લિજેન્ડ એવોર્ડ પણ મળ્યો.
પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ X પર લખ્યું, “પીયુષ પાંડે તેમની સર્જનાત્મકતા માટે જાણીતા હતા. તેમણે જાહેરાતની દુનિયામાં જબરદસ્ત યોગદાન આપ્યું. હું આવનારા વર્ષો સુધી તેમની સાથેની મારી વાતચીતને યાદ રાખીશ. તેમના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.”
જણાવી દઈએ કે 2014 માં ભાજપનું સૂત્ર ‘અબકી બાર મોદી સરકાર’ પણ પિયુષ પાંડે દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આજે દરેક ઘરમાં પ્રખ્યાત છે.
પલ્સ પોલિયોની ‘દો બૂંદેં જિંદગી કી’ આ જાહેરાત પણ પિયુષ પાંડે દ્વારા બનાવવામાં આવી હતી, જે આજે પણ લોકોના હોઠ પર છ. કેડબરી ની ક્રિકેટ જાહેરાત 2007 માં રિલીઝ થઈ હતી. જાહેરાતમાં ભારતના ક્રિકેટ પ્રત્યેના પ્રેમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક બાળક છગ્ગો ફટકારે છે અને આનંદથી નાચવાનું શરૂ કરે છે, અને આખો વિસ્તાર તેમાં જોડાય છે. પાંડેના અવાજે મજામાં વધારો કર્યો. “કુછ ખાસ હૈ જિંદગી મેં!” વાક્ય પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગયું હતું.