National

‘લાગે છે કે કલયુગ આવી ગયો છે!’, અલ્હાબાદ કોર્ટના જ્જે આવી ટીપ્પણી કેમ કરી?

અલ્હાબાદઃ અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને એક વૃદ્ધ દંપતી વચ્ચેની લાંબી કાનૂની લડાઈને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, એવું લાગે છે કે કલયુગ આવી ગયો છે અને આવી કાનૂની લડાઈઓ ચિંતાનો વિષય છે.

આ કેસ અલીગઢનો છે. અહીં 80 વર્ષીય મુનેશ કુમાર ગુપ્તા આરોગ્ય વિભાગમાં સુપરવાઈઝરના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની પત્ની ગાયત્રી દેવી (76 વર્ષ) વચ્ચે 2018થી પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે. મામલો પોલીસ સુધી પહોંચ્યો અને તેને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. જો કે, સમાધાન થઈ શક્યું નહીં. જે બાદ બંને અલગ રહેવા લાગ્યા હતા.

ગાયત્રી દેવીએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગાયત્રી દેવીએ કોર્ટને કહ્યું કે, તેમના પતિનું પેન્શન લગભગ 35 હજાર રૂપિયા છે. તેણે આજીવિકા માટે દર મહિને 15,000 રૂપિયા આપવાની માંગ કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે 16 ફેબ્રુઆરીએ તેના આદેશમાં 5,000 રૂપિયા ભરણપોષણ ભથ્થું આપવાનું કહ્યું હતું. પતિએ આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેના પર હવે સુનાવણી ચાલી રહી છે.

‘આવી કાનૂની લડાઈઓ ચિંતાનો વિષય છે’
જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરી આ અરજી પર સુનાવણી કરી રહ્યા છે. ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, એવું લાગે છે કે કલયુગ આવી ગયો છે અને આવી કાનૂની લડાઈઓ ચિંતાનો વિષય છે. તેણે કપલને સલાહ આપવાનો પણ પ્રયાસ કર્યો. ગાયત્રીએ કહ્યું કે અમે ભરણપોષણ માંગ્યું હતું અને ફેમિલી કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. જે બાદ પતિએ કોર્ટના આદેશને પડકાર્યો છે. હાલમાં, હાઈકોર્ટે ગાયત્રીને નોટિસ પાઠવી છે અને કહ્યું છે કે, અમને આશા છે કે તે આગામી સુનાવણી સુધીમાં સમાધાન પર પહોંચી જશે.

Most Popular

To Top