Gujarat

અમદાવાદ મનપા-વલસાડમાં 7-7 સાથે રાજ્યમાં કોરોનાના વધુ 34 કેસ

રાજ્યમાં ગુરૂવારે કોરોનાના વધુ 34 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા અને વલસાડમાં 7-7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 3, જૂનાગઢ, કચ્છ, નર્મદામાં 2-2, મહેસાણા, નવસારીમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,15,943 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 215 પર પહોંચી છે. જેમાંથી 05 વેન્ટિલેટર પર જ્યારે 210 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં ગુરૂવારે 16 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 3,229ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 20,778 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 72,060ને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 65,745 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,71,602ને બીજો ડોઝ મળી, વધુ 3,33,430 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,63,31,478 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top