Madhya Gujarat

ભથવાડા ગામે મકાનમાં આગ લાગતા કરિયાવર બળીને ખાખ

દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું  કરિયાવર પણ બળી ને ખાક થઈ જતાં  પુત્રીના પિતા ઉપર જાણે આભ તૂટી પડયું હોય તેમ સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી પણ ઘટના સ્થળે દોડી ગયા.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના  ભથવાડા ગામના પટેલ ફળિયામાં રહેતા અમરસિંહ ધીરુભાઈ પટેલ ના ઘરે સાંજના સમયે ઘરમાં એકાએક આગ લાગતાં ઘરના સભ્યો કંઈક વિચારે તે પહેલાં જ જાણે ક્ષણ ભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ઘર આગની લપેટમાં આવી જતા આસપાસના લોકો આગ હોલવવા માટે દોડી આવ્યા હતા ત્યારે આગ બેકાબૂ બનતા બનાવની જાણ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા તો  જોત જોતા માં ઘરમાં રહેલ ઘરવખરી સામાન સહિત ઘરમાં એક પુત્રીના લગ્ન હોવાથી તે પુત્રી માટે મુકેલ કરિયાવર દર દાગીના કપડા સહિત બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.

ત્યારે આ બનાવથી જે પુત્રીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યાં જ આકસ્મિક ઘરમાં આગ લાગતા જાણે જિંદગીભરની કમાણી એક જ પળમાં બળીને ખાખ થઇ જતા આ પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હોય તેમ જોવાઈ રહ્યું છે છે ત્યારે આ બનાવ ને નરી આંખોથી જોનારા લોકો ના પણ રુવાડા ઉંભા થઈ ગયા હતા ત્યારે આ બનાવની જાણ સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ ને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને જોતા મકાનમાલિક અમરસિંહભાઈ પટેલના હાથમાં જાણે કઈ જ રહ્યો ના હોય તેમ દેખાઈ આવ્યું હતું અને તેમને તાત્કાલિક ૧૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.

દેવગઢ બારિયા તાલુકાના ભટવાડા ગામે મકાનમાં આકસ્મિક આગ લાગતાં મકાન સહિત ઘરવખરી તેમજ પુત્રીને આપવાનો કરયાવર બળીને ખાખ જેની તસવીર તેમજ રાજ્યકક્ષાના મંત્રીએ મુલાકાત લીધી તેની તસવીરો દ્રશ્યમાન થાય છે.

Most Popular

To Top