SURAT

સુરતમાં દારૂના નશામાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત: સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 29 વર્ષીય યુવકે વિચિત્ર રીતે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. યુવકે પોતાની રૂમમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરપ્રાંતિય યુવકના આપઘાતને લઈને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. દારૂના નશામાં યુવકે આપઘાત કર્યો કે કોઈએ હત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના વતની પિન્ટુ રાજપૂતએ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પિન્ટુનો મૃતદેહ તેના જ રૂમમાં દારૂના નશામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતકના મકાન માલિકે કહ્યું કે રૂમમાં જ તેણે ફાંસો ખાઈ લીધો હોય તેમ લાગે છે. જો કે, યુવકના આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. હાલ મૃતકના મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. યુવકના આપઘાત મામલે પાંડેસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સ્થાનિક રહીશ અંકિત ગુપ્તાએ કહ્યું કે, પિન્ટુસિંગ રાજપૂત મારા ઘરની પાછળની ગલીમાં રહે છે. મને ખબર પડી કે, તેણે ફાંસો લગાવી લીધો છે. જેથી અમે તાત્કાલિક લાવ્યા હતાં. છેલ્લા એક વર્ષથી પિન્ટુ અહીં રહેતો હતો. તે દારૂ પણ પીતો હતો. દારૂ પીને લટકી ગયો હતો. પોલીસે આવીને પંચનામું કર્યું હતું. મૂળ એ બિહારનો વતની છે. પરિવાર બિહારમાં રહે છે.

સહારા દરવાજા ખાતે શોપિંગ સેન્ટરના 5માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી
સુરત: સહારા દરવાજા ખાતે યુવકે મનપાના શોપિંગ સેન્ટરના 5માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. મૂળ છત્તીસગઢના વતની અને હાલ સહારા દરવાજા પાસે આવેલ મનપાના શોપિંગ સેન્ટર પાસે રણજીતરાય રામનારાયણ યાદવ (34 વર્ષ) રહેતો હતો. રણજીતરાય છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. રવિવારે રાત્રે તે શોપિંગ સેન્ટરના 5માં માળેથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. થોડાક વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે સતત તનાવમાં રહેતો હતો. જેથી તેએ આત્મહત્યા કરી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બનાવને પગલે સલાબતપુરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top