Gujarat

સુરત મનપામાં 7- અમદાવાદ મનપામાં 5 સહિત રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 7, અમદાવાદ મનપામાં 5, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ મનપા, વડોદરા મનપામાં 2-2 જ્યારે અમરેલી, ભાવનગર ગ્રામ્ય, જામનગર મનપા, કચ્છ, નવસારી, વલસાડમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા છે.

આમ અત્યાર સુધીમાં કુલ 8,15,575 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં કોરોનાના કુ 140 એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 134 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં ગુરૂવારે 19 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 2,718ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 52,550 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 49,832 વ્યક્તિને બીજો ડોઝ આ ઉપરાંત 18-45 વર્ષ સુધીના 1,33,109 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,21,069 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 3,59,297 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,83,50,222 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top