Gujarat

રાજ્યમાં કોરોનાના 17 નવા કેસ : અમદાવાદમાં 5, સુરત-વડોદરામાં 4-4 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 નવા કેસ નોધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપા, વડોદરા મનપામાં 4- 4, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય, રાજકોટ મનપા, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોધાયો છે. તો બીજી તરફ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,14,956 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 179 રહી છે. તેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 173 દર્દીઓ સ્ટેબલ છે.

મંગળવારે 09 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,574ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 1,20,735 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 71,144 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 3,56,150 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 40,096 વ્યક્તિેન બીજો ડોઝ મળી કુલ 5,92,708 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,12,31,618 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top