Vadodara

વિસર્જન યાત્રા લઈને જતા ગણેશ ભક્તો માટે પાણીના વિસામા ઊભા કરાયા


વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીથી શ્રીજીની પ્રતિમાનું સ્થાપના કરીને 10 10 દિવસ સુધી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દસીએ ઉત્સાહ અને ઉમંગ સાથે વિદાય આપતા હોય છે. વિવિધ વિસ્તારોમાં બનાવેલા કુત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાને વિસર્જન યાત્રા કાઢી લઈ જવામાં આવે છે ત્યારે આ ગણેશ ભક્તો માટે કેટલાક સેવાભાવી લોકો દ્વારા તેમને તરસ છીપાવવા માટે વિસર્જન યાત્રાના રોડ પર ઠેર ઠેર વિશામાં ગોઠવી દેવામાં આવ્યા છે. જ્યાં પાણી પીને ભક્તો પોતાની તરસ સંતોષતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top