Vadodara

માનસિક અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના હાથમાં સર્જીકલ બ્લેડ અને ઈન્જેકશન મારતા મોત

માનસિક રીતે અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના ઘરે વિવિધ પ્રકારની ઇન્જેક્શનની નીડલ અને સર્જીકલ બ્લેડ વડે હાથમાં ઊંડા ઘા પાડીને ઇજા પહોચાડતા તેઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું બપોર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે જે.પી. પોલીસને જાણ કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચીને લાશને સયાજી હોસ્પિટલ ખાતે મોકલી હતી.

ભાયલી કેનાલ રોડ પર રહેતા ૪૭ વર્ષીય પ્રશાંત ચન્દ્રકાંતભાઈ ભાવસાર વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર હતા. આજે બપોરે તેઓએ પોતાની જાતે જ તેમના બન્ને હાથમાં સર્જીકલ બ્લેડ અને ઈન્જેકશન મારીને  પોતાની જાતને ઇજા પહોચાડતા તેઓને તાત્કલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પીટલમાં મોકલ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ બનાવની ચોક્કસ ખાતરી કરવા માટે જે.પી. પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ મૃતદેહને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ચોક્કસ કારણ જાણવા અને તપાસના હેતુસર પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલવામાં આવ્યો હતો.   

Most Popular

To Top