અજાણ્યા ઇસમો દ્વારા પ્રતિમાને તોડી નુકસાન પહોચાડવા સાથે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ
વડોદરા: માંજલપુર વિસ્તારમાં આવેલા એકદંતા આર્ટ નામના શ્રીજીની મૂર્તિ બનાવવાના સ્થળે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા શ્રીજીની આઠ જેટલી પ્રતિમાઓની તોડફોડ કરી નુકસાન કરવાનો સાથે સાથે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવા અંગેના આક્ષેપો એકદંતા આર્ટ ના સન્ની સપકાળ દ્વારા કરવામાં આવ્યા છે.ઘટનાને પગલે ગણેશ મંડળના સભ્યો પણ પહોંચી ગયા હતા.