Kalol

ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.


કાલોલ:
ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિતે બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રદેશ મહામંત્રી અનુ.જાતિ. મોરચો દેવેનભાઈ વર્મા,
તાલુકા મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ , નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, જીલ્લા પંચાયત સભ્ય કૃષ્ણકાંત પરમાર, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ, પંચમહાલ જિલ્લાના પ્રમુખ નારણભાઈ,પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી, જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા અને નગરપાલિકાના સભ્ય ભાજપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ , ડૉ સુનીલ પરમાર ઈનચાર્જ જીલ્લા એસ સી મોરચો હાજર રહ્યા. પુષ્પાંજલિ આપ્યા બાદ બાબા સાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા.

Most Popular

To Top