Vadodara

ચક્કર આવતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત*

*

(પ્રતિનિધિ) વડોદરા તા. 21


સાવલી તાલુકાના મંજુસર ખાતે રહેતા રણજીત દેવકિશન રાય નામના 43 વર્ષીય વ્યક્તિ કે જેઓને છેલ્લા કેટલાક વર્ષોથી બ્લડપ્રેશર તથા ડાયાબિટીસના રોગ હતા અને તેની સારવાર ચાલી રહી હતી તે વ્યક્તિનુ શનિવારે બપોરના અંદાજે બે વાગ્યાની આસપાસ શહેરના બાયપાસ રોડ દુમાડ ખાતે નિલકંઠ ખાતે અચાનક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા અને બેહોશ થઇ ગયા હતા જેના કારણે આસપાસના લોકો તથા દર્દીના પુત્ર વિશાલ કુમાર યાદવ નાઓએ રણજીત ભાઇને શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કરી મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top