Vadodara

આણંદના સ્વામિનારાયણ મંદિરની બાળ સભામાં કેન્દ્રિય મંત્રીએ વાર્તાલાપ કર્યો

આણંદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની બાળ સભામાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમની સાથે સાંસદ મિતેશભાઇ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે સૌએ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને ઠાકોરજીના દર્શન કર્યા હતાં. જ્યાં કોઠારી ભગવદચરણ સ્વામીએ તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન બાળ સભામાં ઉપસ્થિત બાળકો – શિશુઓને જોઇને તેઓ ખુબ પ્રભાવિત થયા હતા.

Most Popular

To Top