Entertainment

શું પત્ની આલિયા માટે રણબીર કપૂર ‘એનિમલ’ છોડી દેશે?, કેમ ઉઠ્યા સવાલ..

મુંબઈઃ રણબીર કપૂરની સુપર હિટ મૂવી એનિમલની સિક્વલની એનિમલ પાર્કની તૈયારી ચાલી રહી છે ત્યારે છેલ્લાં બે-ત્રણ દિવસથી બોલિવુડમાં એવા સવાલ ચર્ચાઈ રહ્યાં છે કે શું રણબીર એનિમલ ફિલ્મ છોડી દેશે. શું રણબીર પત્ની આલિયા માટે આ પ્રોજેક્ટમાંથી ખસી જશે. આ સવાલો કેમ ઉઠ્યા છે, ચાલો જાણીએ..

ખરેખર બોલિવુડમાં છેલ્લાં કેટલાંક દિવસથી એક અણગમતો વિવાદ ચાલી રહ્યો છે. આ જંગ જિગરા ફિલ્મને લઈને ચાલી રહ્યો છે. આલિયા ભટ્ટની ફિલ્મ જિગરાને લઈને દિવ્યા ખોસલાએ કરેલી કોમેન્ટ બાદ આ વિવાદ શરૂ થયો છે.

વાત એમ છે કે દિવ્યા ખોસલાએ એવી કોમેન્ટ કરી હતી કે જિગરા ફિલ્મની ટિકીટ આલિયા ભટ્ટે જાતે ખરીદી હતી. જેથી બોક્સ ઓફિસ કલેક્શન વધુ બતાવી શકાય. દિવ્યાની આ કોમેન્ટ બાદ બોલિવુડમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠી છે.
દિવ્યા ખોસલાના આ આરોપ પછી ભલે આલિયા ભટ્ટે મૌન જાળવ્યું હોય પરંતુ જીગરાના કો-પ્રોડ્યુસર કરણ જોહરે દિવ્યાને ઈશારાથી જવાબ આપ્યો હતો અને તેને મૂર્ખ ગણાવી હતી. કરણ જોહરની કોમેન્ટ બાદ દિવ્યાએ એક બાદ એક અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી હતી જેના લીધે દિવ્યા અને કરણ વચ્ચેના યુદ્ધ છેડાયું હતું.

દિવ્યાના પતિ એનિમલના પ્રોડ્યુસર
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ સંદીપ વાંગા રેડ્ડી બનાવી રહ્યાં છે, પરંતુ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર દિવ્યા ખોસલાના પતિ ભૂષણ કુમાર છે. તેથી સોશિયલ મીડિયા પર રણબીર કપૂર એનિમલ પાર્ક છોડી દેશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉસમેન્ટ થઈ નથી.

શું તમે આલિયાના કારણે એનિમલ પાર્ક છોડશો?
દિવ્યા ખોસલાએ આલિયા ભટ્ટ પર જીગ્રા માટે ટિકિટ ખરીદવાનો આરોપ લગાવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો રણબીર કપૂરની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. ચાહકોમાં એક ટેન્શન છે કે તેની પત્ની આલિયા પરના આરોપો પછી શું તે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત સિક્વલ એનિમલ પાર્કથી દૂર થઈ જશે. શું રણબીર પત્ની આલિયાને સપોર્ટ કરશે.

ચાહકોમાં તણાવનું વાતાવરણ
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂર એનિમલ પાર્કમાં કામ કરે છે, જે ભૂષણ કુમારની ટી-સિરીઝના બેનર હેઠળ બનેલ છે. ભૂષણની પત્ની દિવ્યા છે, જેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આલિયા પર આરોપ લગાવ્યા છે. હવે જોઈએ કે શું? સ્ક્રીન પરનો આ આલ્ફા પુરૂષ તેની પત્નીનો પક્ષ લે છે અને એનિમલ પાર્કની બહાર જાય છે કે નહીં. મોટાભાગના યુઝર્સનું માનવું છે કે રણબીર કપૂર એનિમલ પાર્કમાંથી નહીં હટે.

Most Popular

To Top