Sports

ODI વર્લ્ડ કપ 2027માં ભારત તરફથી કયા 20 ‘ધૂરંધર’ ખેલાડીઓ પસંદગી પામશે? વર્લ્ડ કપને હજી દોઢ વર્ષ બાકી છે ત્યારે કોચ ગંભીરે શું કહ્યું?

સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા પછી કોચ ગૌતમ ગંભીરની નજર હવે 2027ના ODI વર્લ્ડ કપ પર છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ, ગંભીરે જાહેરાત કરી કે તે ODI વર્લ્ડ કપની તૈયારીઓ 2026ની IPL સિઝન પછી શરૂ થશે. જો કે હકીકતે આ માટેની રણનીતિ IPLની સાથે જ શરૂ થઈ ગઈ હતી. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી સમિતિએ 20 ખેલાડીઓનાં નામ શોર્ટલિસ્ટ કરી રાખ્યા છે.

IPLની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થવા જી રહી છે. પરિણામે ભારતીય ટીમ બે મહિના માટે ODI ફોરમેટથી દૂર રહેશે. ત્યાર બાદ ભારતીય ટીમ વધુમાં વધુ વનડે મેચ રમશે. એટલે IPLમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડી પણ વર્લ્ડકપ માટેની ટીમમાં પ્રવેશ મેળવી શકે, એ હાલ શક્ય નથી જણાતું. મોટે ભાગે તો પસંદગીકારોએ અને ટીમ મેનેજમેન્ટે હાલમાં જે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, એમાંથી જ 15 ખેલાડીઓની પસંદગી થશે. આ 20 ખેલાડીઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં ટીમ ઈન્ડિયાની ODI શ્રેણી અને આ ફોર્મેટમાં નિયમિત ખેલાડીઓને ધ્યાનમાં લેતા, અનુમાન લગાવવું મુશ્કેલ નથી.

ટીમમાં અનુભવી અને યુવાઓનું મિશ્રણ જોવા મળશે. શુભમન ગિલ નવો કેપ્ટન અને શ્રેયસ અય્યર વાઈસ-કેપ્ટન છે. પ્રશ્ન વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે છે, અને બંનેએ વનડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વધુમાં, તેમનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. તેથી, ટીમમાં તેમનો સમાવેશ નક્કી મનાય છે.

સંભવિત 20 ખેલાડીઓ આ મુજબ હોઈ શકે છે

શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, ઈશાન કિશન, અભિષેક શર્મા, રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન.

Most Popular

To Top