National

તાઇવાનના રાષ્ટ્રપતિની શુભેચ્છા પર PM મોદીએ આપી પ્રતિક્રિયા તો ડ્રેગન ભડક્યું

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં NDAએ સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) જીત મેળવી હતી. તેમજ તેઓ 9 જૂને ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે તેવી સંભાવના પણ છે. દરમિયાન તેમને દેશ અને દુનિયામાંથી સતત અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. ત્યારે તાઈવાનના (Taiwan) રાષ્ટ્રપતિ લાઈ ચિંગએ પણ મોદીને અભિનંદન પાઠવ્યા હતા, જેના પર મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ ચીનને ચિંગ તે અને મોદી વચ્ચેની આ વાતચીત પસંદ ન આવી.

ચીને તાઈવાનના રાષ્ટ્રપતિનો આભાર માનતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને કહ્યું છે કે તાઈવાન એક બળવાખોર (વિદ્રોહી) પ્રાંત છે, જે કોઈપણ ભોગે ચીનના મેઈનલેન્ડ સાથે ભળી જશે, પછી ભલે તાઇવાનને બળ દ્વારા જ ચીન સાથે કેમ ન રાખવું પડે. ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તા માઓ નિંગે આ મામલે કહ્યું કે ચીને આના પર ભારતને વિરોધ કર્યો છે. સૌ પ્રથમ, તાઈવાન પ્રદેશના કોઈ રાષ્ટ્રપતિ નથી. ચીન તાઈવાન અને અન્ય દેશો વચ્ચે કોઈપણ પ્રકારની સત્તાવાર વાતચીતનો વિરોધ કરે છે. વિશ્વમાં એક જ ચીન છે અને તાઈવાન એ ચીનનો અભિન્ન અંગ છે.

ક્યાંથી શરૂ થયો વિવાદ?
2024ની લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં એનડીએની જીત બાદ, તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેએ મોદીને અભિનંદન આપતાં સોશિયલ મીડિયા પર કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ચૂંટણીની જીત પર હાર્દિક અભિનંદન. અમે ભારત-પેસિફિકમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા માટે વેપાર, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તરણ કરવા સાથે જ ઝડપથી વિકસતી તાઇવાન-ભારત ભાગીદારીને વધુ આગળ વધારવા માટે આતુર છીએ.

ચિંગ ટેના આ અભિનંદનનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે તમારા હાર્દિક સંદેશ માટે લાઈ ચિંગ-તે આભાર. હું બંને દેશોના લાભના આર્થિક અને તકનીકી વિકાસ માટે કામ કરતી વખતે વધુ ગાઢ સંબંધોની આશા રાખું છું.

ચીનની સમસ્યા શું છે?
ચીને કહ્યું કે ભારતે તાઈવાનના રાજકીય દાવપેચથી દૂર રહેવું જોઈએ. ચાઇના તાઇવાનને બળવાખોર પ્રાંત તરીકે જુએ છે જેને કોઈપણ કિંમતે, બળ દ્વારા પણ મેઇનલેન્ડ ચીન સાથે જોડવામાં આવશે.

ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીને ભારત સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સૌ પ્રથમ, તાઈવાન પ્રદેશના કોઈ રાષ્ટ્રપતિ નથી. ચીન, તાઈવાન અને અન્ય દેશો વચ્ચે કોઈપણ પ્રકારની સત્તાવાર વાતચીતનો વિરોધ કરે છે. વિશ્વમાં એક જ ચીન છે અને તાઈવાન ચીનનો અભિન્ન અંગ છે. વન ચાઇના સિદ્ધાંત વિશ્વભરમાં માન્ય છે. ભારતે તાઈવાનના ગંભીર રાજકીય દાવપેચથી દૂર રહેવું જોઈએ. અમે આ અંગે ભારતને વિરોધ નોંધાવ્યો છે.

ચીનના આ વિરોધ પર અમેરિકાએ શું કહ્યું?
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે ચીનની આ પ્રતિક્રિયા બાબતે કહ્યું કે મેં હજુ સુધી આ બાબતોના સંબંધિત અહેવાલો જોયા નથી. આથી હું આ અંગે વિગતવાર કંઈ કહી શકું નહીં. પરંતુ હું કહીશ કે રાજદ્વારી વ્યવહારમાં આવા અભિનંદન સંદેશાઓ સામાન્ય છે.

ચીન તાઈવાનની વર્તમાન સરકારથી નારાજ છે
ચીનના જોરદાર વિરોધ છતાં, આ વર્ષે તાઈવાનની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીટીપી) સત્તામાં આવી હતી, ત્યારબાદ લાઈ ચિંગ તેએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેમજ લાઈ ચિંગ અને તેમની પાર્ટી ડીપીટીને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

ચીન અને તાઈવાન વચ્ચે શા માટે અણબનાવ?
ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધો અલગ છે. તાઇવાન એ ચીનના દક્ષિણ-પૂર્વ કિનારાથી 100 માઇલ અથવા લગભગ 160 કિલોમીટર દૂર સ્થિત એક નાનો ટાપુ છે. તાઇવાન 1949થી પોતાને એક સ્વતંત્ર દેશ માની રહ્યું છે. પરંતુ અત્યાર સુધી વિશ્વના માત્ર 14 દેશોએ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે અને તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે. પરંતુ ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે અને માને છે કે એક દિવસ તાઈવાન ચીનનો ભાગ બની જશે. ત્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે અને તેનું પોતાનું બંધારણ છે તેમજ ચૂંટાયેલી સરકાર છે.

Most Popular

To Top