Charchapatra

આ તે કેવો વાણી વિલાસ?

દેશમાં દરેક રાજકીય પાર્ટીમાં નમૂનાઓ જોવા મળે છે. આ નમૂનાઓ બેબુનિયાદ, બેજવાબદાર, હેતુપૂર્વકના બયાનો આપતા રહે છે. રાજસ્થાનમાં પોતાની કોંગ્રેસ પાર્ટીના સરકારના મંત્રીઓ બાબત શ્રવણકુમાર કહે છે કે ‘અમારી પાર્ટી કોંગ્રેસમાં એવા મંત્રીઓ છે જેમને લેંઘાની નાડી બાંધતાં પણ નથી આવડતી.’ ઉત્તર પ્રદેશના સપા નેતા શાજીલ ઇસ્લામ કહે છે ‘આદિત્યનાથ હવે અવાજ કરશે તો બંદૂકમાંથી ધુમાડો નહીં ગોળીઓ નીકળશે’ VHP લીડર સાધ્વી સરસ્વતી કહે છે કે ‘પંડિતો કશ્મીરમાં પલાયન નહીં થાય પણ હાથમાં તલવાર રાખી વાર કરશે.’ વળી, ભાજપ નેતા રામચંદ્ર જાગડા કહે છે, ‘ફાટેલી જીન્સ છોકરીઓને શોભા નથી દેતી.’

રાજસ્થાનના મંત્રી કહે છે, ‘ગરીબો ફૂટપાથ પર સુવે છે એટલે અકસ્માતે માર ખાઇને મરે છે. તેઓએ ફૂટપાથ પર ન સૂવું જોઇએ.’ ઉત્તરાખંડના મંત્રી કહે છે કે ‘વિરોધી પાર્ટી કોંગ્રેસની નાવ ડૂબે છે અને તેને સમાપ્ત કરવા પપ્પુ – બબલી (રાહુલ – પ્રિયંકા) સક્ષમ છે.’ બિહારના મુખ્યમંત્રી હતા – તે માજી કહે છે કે ‘અનુસુચિત જાતિએ પૂજા -પાઠ કરવા નહીં. સવર્ણ અને ઉચ્ચ જાતિ ભારતના નિવાસી જ નથી, બહારથી આવ્યા છે.’અનુસુચિત જ્ઞાતિ એ જ ખરા ભારતીય છે.’ સાધ્વી ઋતુંભરા નેતા એટલે કટ્ટરવાદી. VHP નેતા હિન્દુઓને ચાર સંતાનો પેદા કરી હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂરું કરવાની પ્રેરણા આપે છે.
અમદાવાદ         – અરૂણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top