Dakshin Gujarat

વ્યારામાં અંદાજિત ૨.૬૧ કરોડના ખર્ચે તૈયાર વિવિધ ૯ વિકાસ કામનું સાંસદના હસ્તે લોકાર્પણ

વ્યારા ખાતે સોમવારે અંદાજીત રૂ. ૨.૬૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાના કુલ ૯ જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વ્યારા નગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, લોકો માટે ખૂબ જ ઉપયોગી અદ્યત્તન સુવિધા ધરાવતા ત્રણ જેટલા ગાર્ડન તૈયાર કરવામાં આવ્યા છે.

ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે અંબિકાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન રૂ.૪૨,૭૩,૮૪૯ વોર્ડ નં.૧ ચિલ્ડ્રન હોમ ડેવલપ રૂા.૨૦,૯૧,૭૩૪ બહુચરાજી પેલેસથી જલારામ મંદિર માલીવાડ સુધીનો માર્ગ અનાવરણ, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ એક્યુપ્રેશર વોક વે રૂા.૪૦,૬૬,૫૯૦ તળાવ પર આવેલ જુમ્મા મસ્જીદ ચાર રસ્તાથી આંબેડકર ભવન થઇ સ્ટેશન રોડ સુધીના માર્ગને ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ, સીંગી ફળિયામાં શ્રી અટલજી વિહાર ઉદ્યાન રૂા.૪૭,૨૮,૯૬૧ વ્યારા નગરપાલિકાના સયાજી સર્કલથી નેશનલ હાઈવે-૫૩ સુધી ડાબી-જમણી બાજુ રોડ બ્યુટિફિકેશન રૂા.૩૪,૧૯,૯૦૦ ભૂત બંગલા નજીક વીર સાવરકર ઉદ્યાન રૂા.૪૨,૭૩,૮૪૯ જજ બંગલા નજીક રોડ ડેવલોપ રૂા.૩૨,૪૭,૦૫૯ ખર્ચે વિકાસકામનું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું છે.

Most Popular

To Top