National

ન્યાયિક તપાસ પંચની ટીમ 6ઠ્ઠી જુલાઈએ હાથરસમાં ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે

સાકર હરિ બાબાના સત્સંગના (Satsang) અંતે થયેલી દુર્ઘટનાની તપાસ માટે યુપી સરકાર (UP Government) દ્વારા રચાયેલ ન્યાયિક તપાસ પંચ હાથરસ આવતીકાલે હાથરસ જશે. કમિશન ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને અધિકારીઓ અને જનતાને મળશે.

સત્સંગ બાદ થયેલી નાસભાગની ઘટનામાં રાજ્ય સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ 6 જુલાઈએ હાથરસ જશે. તપાસ પંચની આ ટીમમાં પૂર્વ IAS હેમંત રાવ, પૂર્વ IPS ભાવેશ કુમાર સિંહ હાજર રહેશે.

ન્યાયિક તપાસ પંચની ટીમ સવારે 11 વાગ્યે હાથરસ પહોંચશે. ટીમ સવારે 11 થી 12 વાગ્યા સુધી ડીએમ, એસપી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરશે. બપોરે 1 કલાકે ઘટના સ્થળ ફુલરાઈ મુગલગઢી જવા રવાના થશે. બપોરે 2 થી 4 દરમિયાન ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે, તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક આગરા ઝોન, વિભાગીય કમિશનર અલીગઢ, પોલીસ મહાનિરીક્ષક અલીગઢ અને અન્ય અધિકારીઓને મળશે અને રેકોર્ડનું નિરીક્ષણ કરશે. 7 જુલાઈના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી સામાન્ય જનતા સાથે બેઠક યોજાશે.

Most Popular

To Top